આવતીકાલે વડાપ્રધાન મોદી આવશે ગુજરાતનાં પ્રવાસે, સ્વાગતને લઈને તડામાર તૈયારીઓ શરૂ

આવતીકાલે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદીના પ્રવાસને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડપ્રધાન મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ જામનગરમાં રિલાયન્સના વનતારાની મુલાકાત લેશે. અને 2 માર્ચના રોજ સાસણગીરની મુલાકાત લેશે. ત્યારબાદ વાઈલ્ડ લાઈફ ડેની ઉજવણીમાં ભાગ લેશે. અને સાસણ ગીરમાં નેશનલ કોન્ફરન્સમાં હાજર રહેશે.

-> વડાપ્રધાન 3 માર્ચના રોજ જશે સોમનાથ :- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારા માર્ચ મહિનાના આરંભમાં બે વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 2 માર્ચના રોજ સાસણમાં સિંહ દર્શન અને રાત્રી રોકાણનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત ગીરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારબાદ 3 માર્ચના રોજ તેઓ સોમનાથ મંદિરે જશે.

આ પણ વાંચો : શ્રદ્ધાળુઓની સેવા કરવામાં નિષ્ફળ ગયો હોઉં તો હું માફી માંગુ છું, કુંભના સમાપન બાદ બોલ્યા વડાપ્રધાન મોદી

-> વડાપ્રધાન 7 માર્ચે સુરતનાં પ્રવાસે :- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી 7 અને 8 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ 7 માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે અને આ દરમિયાન વડાપ્રધાન વૃદ્ધ વ્યક્તિઓને કીટ વિતરણ પણ કરશે. ત્યારે બીજા દિવસે એટલે કે 8 માર્ચે નવસારીમાં એક કાર્યક્રમમાં વડાપ્રધાન હાજરી આપશે. મહિલા દિવસના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજર રહેશે.

Follow us On Social Media

🔔 YouTube: [ https://www.youtube.com/@BIndiaDigital ]
📸 Instagram: [ https://www.instagram.com/bindiadigital/ ]
🌐 Website: [ https://bindia.co/ ]
TWITTER: https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *