અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત્, હેબતપુર, બાવળામાં અકસ્માતની ઘટનામાં 2ના મોત

અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. શહેરમાં હેબતપુર અને બાવળામાં ગંભીર અકસ્માત ઘટનામાં કુલ 2 લોકોના મોત નિપજ્યા અને 5 લોકોને ઇજા પંહોચી છે. આજે શહેરમાં હિંદુઓના ધાર્મિક તહેવાર મહાશિવરાત્રીની ઉજવણી થઈ રહી છે અને આ ઉપરાંત અમદાવાદ સ્થાપના દિવસની સાથે નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન હાથ ધરાયું છે ત્યારે હેબતપુર અને બાવળામાં બનેલ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થતા તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

-> ટ્રકની પાછળ ઘૂસી કાર :- અમદાવાદના હેબતપુર ઓવરબ્રીજ પર અકસ્માતની ઘટનામાં ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. હેબતપુર ઓવરબ્રીજ ચડતા એક ચાલુ ટ્રક પાછળ આર્ટિકા ગાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક નીચે કાર ઘૂસી જતાં ગાડીનો કુરતો બોલાઈ ગયો હતો. આર્ટિકા ગાડી એટલી ભયંકર રીતે અથડાઈ કે ઘટનાસ્થળ પર જ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે ગાડીમાં સવાર અન્ય બે લોકોને ગંભીર ઇજા પંહોચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હેબતુપર અકસ્માત મામલે પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

-> ટ્રક માલિકનું મોત :- ગુજરાત હાઇકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બે સાયકલ સવારને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો છે. બાવળા રૂપાલ ચોકડી મધુવન હોટલ ખાતે બાવળાથી બગોદરા તરફ ટ્રક જઈ રહી હતી. આ દરમિયાન ટ્રક ડ્રાઇવર સાથે રહેલા ટ્રક માલીકે જમવા માટે ટ્રક રોકી હતી. અને ટ્રક માલિક રસ્તો ક્રોસ કરી સામેની બાજુ જઈ રહ્યો હતો. ત્યારે બગોદરાથી બાવળા તરફ જઈ રહેલા એકટીવાએ ટ્રક માલિકને ટક્કર મારી હતી. એકટીવા પર ત્રણ યુવકો સવાર હતા. એક્ટીવાની ટક્કર વાગતા ટ્રક માલિકનું સારવાર મળે તે પહેલાં ઘટનાસ્થળ પર જ મૃત્યુ નિપજયું હતું. જ્યારે એક્ટિવા સવાર ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા. ત્રણેય યુવકોને 108 મારફતે બાવળા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

Related Posts

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

#Transfer/ 72 IAS ની બદલી, હજુ અનેક ઉચ્ચ સનદી અધિકારીઓની બદલીની શક્યતા

સમય આમુલ પરિવર્તન પાર દર્શક વહીવટનો પાયો કહેવામાં આવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે તેવું ગીતામાં કહેવાયુ છે, હા પરિવર્તન અનેક પ્રકારનાં હોય છે જ્યારે વાત વહીવટી તંત્રની હોય. સજા, સરાહના, સંભાવના, સમર્થતા વિગેરે વિગેરે પણ હાલ વાત પરિવર્તન એટલે કે બદલીની છે તો તેના જ ગીત ગાઇ શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *