અમદાવાદથી ગાંધીનગર જવું બન્યું હવે સરળ, મેટ્રોમાં ગિફ્ટ સિટી સુધી જવાની ફ્રિકવન્સી વધારાઈ

B INDIA અમદાવાદ : મેટ્રોમાં અમદાવાદથી ગાંધીનગર જવું હવે સરળ બન્યું છે. 15 ફેબ્રુઆરીથી અમદાવાદથી ગાંધીનગર અને મોટેરા સ્ટેશન પર પરત ફરવા માટે મેટ્રો ટ્રેન બદલવાની જરૂર રહેશે નહીં. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેનોની ફ્રિકવન્સી વધારવાની જાહેરાત કરી છે અને APMC – મોટેરા – GNLU – GIFT સિટીનો સીધો રૂટ પણ જાહેર કર્યો છે. GMRC એ આપેલી માહિતી પ્રમાણે, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી સાથે મેટ્રો ટ્રેન ફ્રિકવન્સી વધારવાની પરવાનગી મેટ્રો રેલ સેફ્ટી કમિશનર પાસેથી મેળવી લેવામાં આવી છે.

GMRC એ વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરોને હવે ગાંધીનગરના સેક્ટર-૧ અને GIFT સિટીની મુસાફરી માટે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અથવા GNLU પર મેટ્રો ટ્રેન બદલવાની જરૂર રહેશે નહીં. GNLU સ્ટેશન અને GIFT સિટી ઓફિસો વચ્ચે દર 30 મિનિટે બસ સેવાઓ ઉપલબ્ધ રહેશે, જેમાં PDEU પર પણ સ્ટોપ રહેશે. 15 ફેબ્રુઆરી, 2025થી, નીચેના સમયપત્રક મુજબ ટ્રાયલ ધોરણે ટ્રેનો સીધી APMCથી સેક્ટર-1 અને ગિફ્ટ સિટી સુધી દોડશે.

Related Posts

વડોદરા BCA ચૂંટણીમાં કાયદાકીય પેચ: કિરણ મોરે સહિતના દિગ્ગજો મુશ્કેલીમાં, હાઈકોર્ટે આપ્યો આદેશ

બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ની આગામી ચૂંટણીઓના વિવાદે હવે કાયદાકીય વળાંક લીધો છે. વડોદરાના એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા ન્યાયાધીશે આ મામલે મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું અમદાવાદ ઈસરો ખાતે યુવા વૈજ્ઞાનિકોને સંબોધન, સ્પેસ ટેકનોલોજી અને કૃષિ સંશોધન પર ભાર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અમદાવાદ ઈસરો – સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા આયોજિત ડીપટેક ઈન્ડસ્ટ્રી કનેક્ટ 2026 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાયન્સ કોમ્યુનિટીને સંબોધન કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે ભારતના વૈજ્ઞાનિકો આધુનિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *