દેશમાં LPGની કોઈ અછત નહીં: બે દિવસમાં 87 લાખ સિલિન્ડરની ડિલિવરી, કેન્દ્રનો સ્પષ્ટ જવાબ

દેશભરમાં LPG ગેસની અછત અંગે ચાલી રહેલી અફવાઓ વચ્ચે Ministry of Petroleum and Natural Gasએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં LPGનો કોઈ અભાવ નથી અને સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલમાં લગભગ 95% ઘરેલુ ગેસ સિલિન્ડરની ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ દ્વારા કરવામાં આવી રહી છે, જેના કારણે પારદર્શિતા અને યોગ્ય વિતરણ સુનિશ્ચિત થાય છે. છેલ્લા માત્ર બે દિવસમાં જ દેશભરમાં 87 લાખથી વધુ LPG સિલિન્ડરની સફળ ડિલિવરી કરવામાં આવી છે.

નાના અને કોમર્શિયલ સેગમેન્ટમાં પણ પૂરતી સપ્લાય
મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 48 કલાકમાં 15,900 ટન કોમર્શિયલ LPGનું વેચાણ થયું છે, જ્યારે 876 ટન ઓટો LPGની સપ્લાય કરવામાં આવી છે. નાના ગ્રાહકો માટે 5 કિલોના આશરે 1.20 લાખ સિલિન્ડર પણ વેચાયા છે. સાથે સાથે શહેરોમાં Piped Natural Gas (PNG) કનેક્શનનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો છે, જેના કારણે LPG પરની નિર્ભરતા ધીમે ધીમે ઘટી રહી છે. છેલ્લા દિવસોમાં 6.31 લાખ નવા કનેક્શન સક્રિય થયા છે અને હજારો લોકોએ LPG કનેક્શન પરત આપ્યા છે.

નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી
પેટ્રોલ-ડીઝલ પંપ પર હાલ સ્થિતિ સામાન્ય છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ગભરાટને કારણે વધુ બુકિંગ નોંધાઈ રહી છે. મંત્રાલયે જણાવ્યું કે નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે 2100થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને અનેક ડિસ્ટ્રિબ્યુટર્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે રિફાઈનરી, પોર્ટ અને શિપિંગની તમામ કામગીરી સામાન્ય રીતે ચાલી રહી છે. સાથે જ લોકોને અફવાઓથી દૂર રહેવાની અને અનાવશ્યક ગભરાટ ન ફેલાવવાની અપીલ કરવામાં આવી છે.

 

 

  • Related Posts

    ગુજરાતમાં ફરી મેઘમહેરની આગાહી, આગામી 48 કલાક ભારે વરસાદનું યલો એલર્ટ

    ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ ફરી જામ્યો છે. ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 48 કલાક રાજ્ય માટે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા મુજબ, 8 અને 9 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો તમે વીકેન્ડ દરમિયાન પરિવાર કે મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જરૂરી બની શકે છે. ભારે વરસાદ અને તેજ પવનને કારણે મુસાફરી દરમિયાન મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આગામી 13 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં…

    સંસદમાં મોટા રાજકીય ઘટનાક્રમના સંકેત : કોંગ્રેસે લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કર્યો

    સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આગામી દિવસોમાં મહત્વપૂર્ણ રાજકીય ચર્ચા અને કાયદાકીય કાર્યવાહી થવાના સંકેતો મળી રહ્યા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કરીને 10, 11 અને 12 ઓગસ્ટે ગૃહમાં ફરજિયાત હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાંસદોને પણ દિલ્હીમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષોની આ તૈયારીઓને જોતા સંસદમાં આગામી દિવસોમાં કોઈ મહત્વપૂર્ણ બિલ અથવા ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસે શા માટે લોકસભા સાંસદો માટે જાહેર કર્યો થ્રી-લાઇન વ્હીપ? લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના મુખ્ય સચેતક (ચીફ વ્હીપ) કોડિકુન્નિલ સુરેશે તમામ કોંગ્રેસ સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર…