ખેડબ્રહ્મામાં આંજણા ચૌધરી સમાજના કુળદેવી અર્બુદા માતાજીનો 11 મો પાટોત્સવ યોજાયો

ખેડબ્રહ્મા ,જયેશ ઠાકોર/ શૈલેષ પટેલ : સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં આંજણા ચૌધરી સમાજની કુળદેવી અર્બુદા માતાજી નો 11 મો પાટોત્સવ સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં ધામધૂમ પૂર્વક યોજાયો. આજરોજ તારીખ 27-11-25 ને ગુરુવારના રોજ પટેલ માધાભાઈ શામળભાઈ સમાજ વાડીમાંથી સવારે 10:00 કલાકે અર્બુદા માતાજીની શોભા યાત્રા પ્રસ્થાન થઈ હતી. અર્બુદા માતા નો ફોટો સુંદર શણગારેલ રથમાં પ્રસ્થાપિત કરાયો હતો.

આ શોભાયાત્રા બ્રહ્માજી ચોક થઈ ગામ વિસ્તારના મુખ્ય માર્ગોમાં ફરી પરત સમાજવાડીમાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન રસ્તામાં ઠેર ઠેર અન્ય સમાજના લોકોએ પણ શોભાયાત્રા નું સ્વાગત કર્યું હતું અને માં અર્બુદા ના દર્શન કર્યા હતા.

આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા કો-ઓપરેટીવ બેંકના ડિરેક્ટર ગોપાલભાઈ આર. પટેલ, પૂર્વ સાબર ડેરી ના વાઇસ ચેરમેન બ્રિજેશભાઈ પટેલ અર્બુદા મંડળના સભ્યો તથા વડીલો તથા શહેરના ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. સવારે ઉપસ્થિત સૌ ધર્મ પ્રેમી લોકોની પ્રસાદ પીરસાયો હતો. તથા સાંજે પટેલ સમાજવાડીમાં મહાપ્રસાદ આયોજન કરવામાં આવેલ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

રાજ્ય સરકારનો માસ્ટર પ્લાન, આ યોજના થકી હવાની ગુણવત્તા સુધારશે અને હરિત આવરણને કરશે વિસ્તૃત

ગાંધીનગર, 12 ફેબ્રુઆરી, 2026: ભારતના શહેરોને ‘વૉટર સિક્યોર’ (જળ સુરક્ષિત) અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 1 ઓક્ટોબર, 2021ના રોજ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…