ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી તણાવ વધતો જોવા મળી રહ્યો છે. મંગળવારે ભારતે બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાજ હમીદુલ્લાને સમન મોકલ્યું છે, આ એક અઠવાડિયામાં બીજી વખત છે. ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશી રાજદૂતને બોલાવીને પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે.
સુરક્ષા પડકાર અને ખુલ્લા દાવા-આક્ષેપ:
MEAના જણાવ્યા અનુસાર, ઢાકામાં ભારતીય મિશન આસપાસ કેટલાક કટ્ટરપંથી તત્વો સુરક્ષાના પડકાર ઊભા કરી રહ્યા છે. બાંગ્લાદેશે નવી દિલ્હીમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને સમન મોકલ્યું હતું અને સિલિગુડી વિઝા કેન્દ્રમાં તોડફોડ અંગે “ગંભીર ચિંતા” વ્યક્ત કરી હતી.
શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં માહોલ તણાવભર્યો છે. પ્રદર્શનકારોએ બાંગ્લાદેશમાં આ હત્યાની પાછળ ભારતીય હસ્તક્ષેપનો દાવો કર્યો હતો, જ્યારે મેમનસિંહમાં હિન્દુ મજૂર દીપુ ચંદ્ર દાસને ભીડે માર માર્યા બાદ મોતને ઘેરી દીધું. આ ઘટનાથી ભારતમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તાજેતરમાં ફેલાવાયેલ ખોટા નેરેટિવને અત્યાર સુધી કોઈ કડક પુરાવા સાથે સમર્થન મળ્યું નથી. બંને દેશો વચ્ચે તણાવ સતત ઉંચા સ્તરે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






