સ્માર્ટ સિટી સુરતનું સ્માર્ટ મોડેલ… હવે ‘ડાયમંડ સિટી’ બનશે ‘ઝીરો વેસ્ટ સિટી ;જાણો વિગત

એક સમયે માત્ર હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું સુરત શહેર આજે પર્યાવરણ જાળવણી અને કચરાના નિકાલ માટે સમગ્ર દેશમાં પથદર્શક બની રહ્યું છે. સુરત હવે માત્ર ‘ડાયમંડ સિટી’ તરીકે નહીં, પણ ‘ઝીરો વેસ્ટ સિટી’ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘અર્બન ડેવલપમેન્ટ વર્ષ’ – શહેરી વિકાસ વર્ષની ઉજવણીના અવસરે સુરત મહાનગરપાલિકાએ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ‘ગ્રીન ગ્રોથ’ને પણ પ્રાથમિકતા આપી છે.

વિકાસની હરણફાળ ભરી રહેલું સુરત શહેર હવે પર્યાવરણની જાળવણીમાં પણ દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. મહાનગરપાલિકાએ આગામી બે વર્ષમાં શહેરમાંથી નીકળતા ઘન બાંધકામ કચરા (C&D Waste)ના 100 ટકા રિસાયકલિંગનું લક્ષ્ય રાખ્યું છે. એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે કે શહેરનો કોઈપણ બાંધકામ કચરો ડમ્પિંગ સાઈટ સુધી પહોંચવાને બદલે સ્થળ પર જ અથવા પ્લાન્ટમાં રિસાયકલ થઈ પુનઃ વપરાશમાં લેવાય.

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના બાંધકામ અને ડિમોલિશન કચરાનું વૈજ્ઞાનિક રીતે એકત્રીકરણ કરીને તેને ફરી ઉપયોગમાં લેવા માટે કાર્યરત કરાયેલા કન્સ્ટ્રકશન અને ડિમોલિશન (C&D) વેસ્ટ રિસાયક્લિંગ પ્લાન્ટ હવે સમગ્ર ભારત માટે એક ઉદાહરણરૂપ મોડેલ બન્યો છે. આ પ્રોજેક્ટ શહેરની સાફસફાઈ સાથે પર્યાવરણનું રક્ષણ અને કુદરતી સંસાધનો બચાવવા પણ યોગદાન આપી રહ્યો છે.

પર્યાવરણને પણ થશે ફાયદો
બાંધકામના કચરાનું 100 ટકા રિસાયક્લિંગ કરતા સુરતની આ સ્માર્ટ પહેલ માત્ર સફાઈ પૂરતી મર્યાદિત નથી, પણ તે પર્યાવરણના જતનનું મોટું અભિયાન બન્યું છે. આ રિસાયક્લિંગ પ્રક્રિયાના પરિણામે દર વર્ષે અંદાજે 500 ટનથી વધુ CO₂ (કાર્બન ડાયોક્સાઇડ)નું ઉત્સર્જન ઘટાડે છે, જે 2,50,000 કિલો કોલસાની બચત સમાન છે. જેથી કુદરતી સંસાધનો (જેમ કે પથ્થર અને રેતી) ના ખનન પરનું ભારણ ઘટ્યું છે.

સ્વચ્છ સર્વેક્ષણ-2024માં સમગ્ર ભારતમાં સૌથી વધુ ગુણ મેળવી સુરતે દેશમા ફરી એકવાર સ્વચ્છતામાં આગવી ઓળખ ઉભી કરી છે. સુપર સ્વચ્છ લીગમાં સુરત સતત અગ્રેસર રહ્યું છે, ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ તરફ દૃઢ પ્રયાસો થઈ રહ્યા છે. સુરત મનપા, રાજ્ય અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ કચરાને વૈજ્ઞાનિક રીતે રિસાઈકલ અને વેસ્ટ મેનેજમેન્ટ કરવામાં આવે છે. શહેરમાં બાંધકામ અને ડિમોલીશન વેસ્ટના ઘન કચરામાંથી બેસ્ટ પ્રોડક્ટસનું ઉત્પાદન કરવા માટે કન્સ્ટ્રક્શન અને ડિમોલીશન વેસ્ટ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે.

સુરતના કોસાડ ખાતે 300 મેટ્રિક ટન પ્રતિ દિવસ ક્ષમતા ધરાવતો પ્લાન્ટ જનભાગીદારી (PPP) મોડલ હેઠળ કાર્યરત છે, જેમાં દરરોજ અંદાજિત 80 મેટ્રિક ટન ડિમોલીશન વેસ્ટ રિસાયકલ થાય છે. આમ C&D વેસ્ટથી પેવર બ્લોક્સ, વિવિધ પ્રકારના કન્સ્ટ્રક્શન વેસ્ટ મટીરિયલ્સમાંથી ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનો બનાવવામાં આવે છે.

‘સર્ક્યુલર ઇકોનોમી’ મજબૂત બનશે
ક્લિન સિટી સુરતમાં ડેમોલિશન વેસ્ટ હવે વેસ્ટ નહીં, પણ વેલ્થ બની રહ્યો છે. સુરત મનપા દ્વારા ક્લિન કન્સ્ટ્રક્શન ગાઈડલાઈન અમલી બનાવી છે. ઈ-ગવર્નન્સના માધ્યમથી નાગરિકો ઘરબેઠાં જ કન્સ્ટ્રક્શન વેસ્ટ ઉપાડવા માટે નોંધણી કરાવી શકે છે. સુરત મનપાએ એક પ્રેરણાદાયી નિર્ણય લેતા પ્લાન્ટમાં નિકળતી રિસાયકલ સામગ્રીને સરકારી ટેન્ડરોમાં પણ 20 ટકા સુધી રિસાયકલ સામગ્રીનો ઉપયોગ ફરજિયાત કર્યો છે. આ નીતિથી રિસાયકલ થયેલી ચીજવસ્તુઓના માર્કેટને વેગ મળશે અને ‘સર્ક્યુલર ઇકોનોમી’ મજબૂત બનશે.

સુરત મનપા દ્વારા અમલી ક્લિન કન્સ્ટ્રક્શન ગાઇડલાઇન શહેરના હવા પ્રદૂષણને ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. સ્માર્ટ મોનિટરિંગને કારણે નાગરિકોની ફરિયાદોમાં ઘટાડો થયો છે. બાંધકામ સ્થળોએ પતરા, શેડ્સ, ધૂળ નિયંત્રણ માટે સ્પ્રિન્કલર્સ અને ગ્રીન નેટનો ફરજિયાત ઉપયોગ આ બધું મળીને સુરતને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને સુવાસિત બનાવે છે

કોસાડ સ્થિત પ્લાન્ટમાં સાયન્ટીફીક પ્રોસેસિંગ થકી પુન:ઉપયોગ
કોસાડ સ્થિત પ્લાન્ટ વર્ષ 2018થી કાર્યરત થયો ત્યારથી સુરત મહાનગરપાલિકા દ્વારા કલેક્શન સિસ્ટમ મજબૂત બનાવતા ક્રમશ: બાંધકામ અને ડિમોલીશનના ઘનકચરાનું કલેક્શન વધ્યું છે, જેમાં વર્ષ 2018-19 માં 65746 મેટ્રિક ટન વેસ્ટ કલેક્શન થયું હતું. વર્ષ 2019-20માં 37457 મેટ્રિક ટન, વર્ષ 2020-21 માં 10614 મેટ્રિક ટન, વર્ષ 2021-22 માં 23315 મેટ્રિક ટન, વર્ષ 2022-23 માં 41451 મેટ્રિક ટન, 2023-24 માં 49381 મેટ્રિક ટન અને 2024-25માં 58106 મેટ્રિક ટન બાંધકામ-ડિમોલીશન વેસ્ટ કલેક્શન કરીને ડમ્પિંગ સાઈટ પર જવાને બદલે રિસાયક્લિંગ કરવામાં આવે છે.

આ પ્લાન્ટમાં ઇંટ, કોન્ક્રીટ, લોખંડના ટુકડા વગેરે એકત્રિત કરીને સાયન્ટીફીક પ્રોસેસિંગ થકી ફરી ઉપયોગી બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં Crushed Aggregates, રિસાયકલ કરેલી રેતી, પેવર બ્લૉક અને કોંક્રીટ ઇંટો જેવી ગુણવત્તાવાળી સામગ્રી તૈયાર કરવામાં આવે છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…

BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…