ગુજરાત રાજ્યના ખેડૂત ખાતેદારો માટે મહત્વના અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન રિ-સર્વે સંબંધિત ક્ષતિઓ સુધારવા માટે અરજી કરવાની સમય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યમાં રિ-સર્વે રેકોર્ડનું પ્રમોલગેશન થયા બાદ અનેક ખેડૂતો દ્વારા ખાતા નંબર, ક્ષેત્રફળ, હદબંધી, માલિકીના નામો સહિતની વિગતોમાં ભૂલો હોવાની રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોને આવી વહીવટી અને ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાથી સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા નિર્ણય અનુસાર હવે ખેડૂત ખાતેદારો 31 ડિસેમ્બર 2026 સુધી રિ-સર્વે બાદની ક્ષતિઓ સુધારવા અરજી કરી શકશે. અગાઉની સમય મર્યાદા પૂર્ણ થવાના કારણે અનેક ખેડૂતો અરજી કરી શક્યા નહોતા, પરંતુ હવે તેમને પૂરતો સમય મળતાં મોટી રાહત મળી છે.
આ નિર્ણયથી ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોના ખેડૂતોને મોટો લાભ થશે. મહેસૂલ વિભાગના અધિકારીઓ મુજબ, ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આ સમયવધારો કરવામાં આવ્યો છે. ખેડૂત ખાતેદારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સમયસર તલાટી, મહેસૂલ કચેરી અથવા ઓનલાઈન માધ્યમ દ્વારા પોતાની જમીન સંબંધિત રિ-સર્વે ક્ષતિઓ સુધારવા અરજી કરી લે, જેથી ભવિષ્યમાં કોઈ કાનૂની કે વહીવટી મુશ્કેલી ઊભી ન થાય.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






