RCB vs CSK: CSK ને 2 રને હરાવી, RCB પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં શનિવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 2 રનની કસેલી જીત સાથે હરાવી અને પ્લેઓફની દાવેદારી મજબૂત બનાવી છે. આ જીત પછી RCB 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે, જ્યારે CSK પોતાની નવમી હાર સાથે 10મા સ્થાને લૂળી પડી છે.

RCBની ઇનિંગ્સ – 213/5 (20 ઓવરમાં)
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી RCB એ શાનદાર શરૂઆત કરી. ઓપનર્સ જેકબ બેથેલ (55 રન, 33 બોલ) અને વિરાટ કોહલી (62 રન, 33 બોલ) વચ્ચે 97 રનની ભાગીદારી થઇ. બેથેલે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

આ પછી મધ્ય ક્રમમાં દેવદત્ત પડિકલ (17), રજત પાટીદાર (11) અને જીતેશ શર્મા (7) જલદી આઉટ થયા. પરંતુ રોમારિયો શેફર્ડએ અંતિમ ઓવરોમાં તોફાની બેટિંગ કરતા માત્ર 14 બોલમાં 53 રન (5 છગ્ગા, 4 ચોગ્ગા) ફટકારી આરસીબીને 213 સુધી પહોંચાડ્યું. CSK તરફથી મથિશા પથિરાનાએ 3 વિકેટ, જ્યારે નૂર અહમદ અને સેમ કુરનને 1-1 સફળતા મળી.

CSKની ઇનિંગ્સ – 211/5 (20 ઓવરમાં)
જવાબમાં લક્ષ્યનો પીછો કરતા CSK ની શરૂઆત નબળી રહી. શેખ રશીદ (14) અને સેમ કુરન (5) જલદી આઉટ થયા. ત્યારબાદ 17 વર્ષીય આયુષ મ્હાત્રે (94 રન, 48 બોલ) અને રવિન્દ્ર જાડેજા (77 રન, 45 બોલ)* વચ્ચે ત્રીજી વિકેટ માટે 114 રનની ભાગીદારી થઈ.

આયુષ મ્હાત્રેના બેટમાંથી 9 ચોગ્ગા અને 5 છગ્ગા નીકળ્યા. અંતિમ ઓવરોમાં ધોની (12) અને દુબે (8*) પ્રયાસ કર્યા છતાં ટીમ 2 રનથી પછાત રહી ગઈ. ડેવાલ્ડ બ્રેવિસ ખાતું ખોલ્યા વિના આઉટ થયા. RCB માટે લુંગી એનગીડી સૌથી સફળ બોલર રહ્યા, જેમણે 3 વિકેટ ઝડપી. કૃણાલ પંડ્યા અને યશ દયાલે પણ 1-1 વિકેટ લીધી.

Related Posts

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

મધર્સ-ડે/ ઐતિહાસિક ધરોહર ઉપરકોટનાં કિલ્લામાં નોકરી કરતા સ્ટાફની માતાઓએ માણી મોજ

આપણી સંસ્કૃતિ પ્રમાણે મધર્સ-ડે હોય જ ન શકે, કારણ કે આપણી સંસ્કૃતિમાં માઁ ને ભગવાન કરતા પણ ઉપરનો દરજ્જો પ્રાપ્ત છે. અહીં માઁ નો દિવસ હોય જ ન શકે અહીં તો સમગ્ર જીવન અને જીવન પર્યાતનો કાળ પણ માઁ માટે સમર્પિત છે. પરંતુ આજે વિશ્વની તમામ સંસ્કૃતિ એક સાથે ચાલતી દેખાય છે. અને સનાતની ભારત તમામને નાત-જાત, દેશ, ઘર્મને સાથે રાખીને ચાલતો દેશ છે. ભારતએ વિશ્વનો એક માત્ર એવો દેશ છે જેની માતૃ વિભક્તિ છે અને માટે જ ભારત માતા ની જય કહેવામાં આવે છે. આવા ઐતિહાસિક દેશનાં ઐતિહાસિક જૂનાગઢનાં ઐતિહાસિક સ્થળ એવા ઉપરકોટનાં કિલ્લા ખાતે પણ માઁ માટે અને માઁ સાથે ઉજવણી કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *