એન્ટાર્કટિકાના સૌથી ઊંચા શિખર પર ભારતની દીકરીનો વિજય, કવિતા ચંદે માઉન્ટ વિન્સન સર કરી ઇતિહાસ રચ્યો

ઉત્તરાખંડના અલ્મોડાના પર્વતારોહક કવિતા ચંદે એન્ટાર્કટિકાના સૌથી ઊંચા અને અતિ દુર્ગમ ગણાતા શિખર માઉન્ટ વિન્સન (4,892 મીટર) પર સફળતાપૂર્વક ચઢાણ કરીને ભારતનો ડંકો વિશ્વભરમાં વાગાવ્યો છે. 20 ડિસેમ્બરના રોજ કવિતાએ આ ખંડના સર્વોચ્ચ શિખર પર પહોંચી ગર્વથી ભારતનો ત્રિરંગો લહેરાવ્યો.

કવિતાની ‘સેવન સમિટ’ સફર
કવિતા હાલમાં ‘સેવન સમિટ’ અભિયાન પર છે, જેમાં વિશ્વના બધા 7 ખંડોના સૌથી ઊંચા શિખરો પર ચડવાનો લક્ષ્ય છે. માઉન્ટ વિન્સન પહેલાં તેણે યુરોપના સૌથી ઊંચા શિખર માઉન્ટ એલબ્રસ પર પણ સફળતા મેળવી હતી.

મજબૂત મનોબળ અને કઠિન પરિશ્રમ
40 વર્ષીય કવિતા માટે આ સફળતા તેના મજબૂત મનોબળ, ફિટનેસ અને અથાક મહેનતનું પરિણામ છે. તે શૂન્યથી નીચેના તાપમાન અને જોરદાર પવન સામે લડીને શિખર સુધી પહોંચી.

કારકિર્દીથી પર્વતારોહણ સુધી
કવિતા પહેલા મીડિયા અને કોર્પોરેટ ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતી. વર્ષ 2024માં તેણે પોતાની કોર્પોરેટ કારકિર્દીને અલવિદા કહી ફિટનેસ અને પર્વતારોહણને જીવન બનાવ્યું. કવિતા મેરેથોન દોડવીર પણ છે અને મુંબઈ તથા દિલ્હીના મેરેથોનમાં અનેક મેડલ્સ જીત્યા છે.

માઉન્ટ વિન્સન પર ચઢાણ
3 ડિસેમ્બરે ભારતથી નીકળેલી કવિતાની સફર ચિલી અને યુનિયન ગ્લેશિયર મારફતે બેઝ કેમ્પ સુધી પહોંચી હતી. 9 સભ્યોની ભારતીય ટીમ, જેણે પ્રખ્યાત ગાઇડ મિંગમા ડેવિડ શેરપાના નેતૃત્વમાં મિશન પૂર્ણ કર્યું, તેની સાથે હતી. શિખર પર પહોંચી કવિતાએ કહ્યું,”ત્રિરંગો ફરકાવવી મારા જીવનની સૌથી યાદગાર અને ગર્વની ક્ષણ હતી. હું ઈચ્છું છું કે મારી આ સિદ્ધિ દેશની તમામ કાર્યકારી મહિલાઓ માટે પ્રેરણા બને.”

કવિતા ચંદની આ સિદ્ધિ સાબિત કરે છે કે સપના મોટા હોય અને ઈચ્છાશક્તિ મજબૂત હોય તો ઉંમર ક્યારેય અવરોધ બનતી નથી. તે ભારત માટે પ્રેરણાનું પ્રતીક બની ગઈ છે અને વિશ્વના પર્વતારોહકો માટે નવી ઉદાહરણ સ્થાપિત કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

શિક્ષકોને શ્વાનની ગણતરીના સમાચાર મામલે શિક્ષણ વિભાગે અહેવાલોનો આપ્યો રદિયો, જાણો શું કહ્યું

રાજ્યમાં ગાઈકાલથી શિક્ષકોને શ્વાનની ગણતરી કરવા મામલે થયેલ પરિપત્ર મામલે મીડિયામાં સતત સમાચારો સામે આવી રહ્યા હતા. આ દરમિયાન ગાંધીનગર સ્થિત શાળાઓની કચેરીએ આ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. આ…

રાજ્ય શિક્ષણ વિભાગે સ્પષ્ટતા આપી, શિક્ષકોએ રખડતાં કૂતરાં ગણવાની કોઈ ફરજ નહીં

ગુજરાતના વિવિધ મીડિયામાં વહેતા સમાચાર કે “શિક્ષકો હવે રખડતાં કૂતરાં ગણાવશે” તે સંપૂર્ણપણે ખોટા અને સત્યથી વેગળા છે. સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા બહાર પાડવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે…