ઓડિશામાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે મહત્વપૂર્ણ પગલું, ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડની રચના

ઓડિશા સરકારે ટ્રાન્સજેન્ડર સમુદાયના સમૂહ વિકાસ અને પુનર્વસન માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્ય સરકારે ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડની રચના કરવાની જાહેરાત કરી છે.

આ બોર્ડની રચના ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019 અને નિયમો, 2020ના નિયમ 10(1) હેઠળ કરવામાં આવી છે. બોર્ડનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણ અને પુનર્વસન માટે વ્યાપક માર્ગદર્શિકા તૈયાર કરવી અને તેમની હિતોની રક્ષા માટે પગલાં લેવાં છે.

સરકારના જણાવ્યા અનુસાર, બોર્ડ વિવિધ નીતિગત અને વ્યવહારીક મુદ્દાઓ પર ધ્યાન આપશે જેમ કે આરોગ્ય સેવા, શિક્ષણ, રોજગારી, આવાસ અને સામાજિક સુરક્ષા. આ પગલું માત્ર ટ્રાન્સજેન્ડર સમુદાય માટે સશક્તિકરણ તરફનો એક પ્રગતિશીલ પ્રયાસ નથી, પરંતુ સમાન અધિકારો અને સમાવિષ્ટ સમાજ માટે રાજ્યની પ્રતિબદ્ધતાનું પણ પ્રતિબિંબ છે.

Related Posts

કળયુગી પિતાએ 29 વર્ષના પુત્રની કરાવી હત્યા, કારણ જાણી ચૌકી જશો

ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનિકેત શર્મા (29) ની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેનો મૃતદેહ મુરાદાબાદમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તે માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે…

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રાજઘાટ પહોંચ્યા, મહાત્મા ગાંધીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા છે. શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ પુતિનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગુરુવારે દિલ્હી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *