PoKમાં ભારે આક્રોશ: સતત બીજા દિવસે પાકિસ્તાની સેના વિરુદ્ધ પ્રચંડ વિરોધ, સેનાના ગોળીબારમાં 8ના મોત

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં લોકોએ પોતાના હકો માટે મોં ખોલ્યું છે અને પાકિસ્તાની સેના સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. બુધવારે સતત બીજા દિવસે PoKના અનેક શહેરો અને ગામડાઓમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા, જેમાં પાકિસ્તાની સુરક્ષા દળો સાથે હિંસક અથડામણો સર્જાઈ. સેનાના ગોળીબારમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને 100થી વધુ ઘાયલ થયા છે.

શું છે સમગ્ર ઘટના?
PoKમાં લોકો છેલ્લા કેટલાય સમયથી મોંઘવારી, બેરોજગારી, અને પાકિસ્તાની સરકારની બેદરકારી સામે અવાજ ઉઠાવી રહ્યા છે. હવે આ વિરોધે નવી દિશા લીધી છે – સૈન્યના દમનશાહી વલણ સામે પ્રતિકાર. બુધવારે સતત બીજા દિવસે મુઝફ્ફરાબાદ, પોંઝા અને આજુબાજુના વિસ્તારોમાં લોકોએ સ્વ-શાસન ચાર્ટરની માંગ સાથે શાંતિપૂર્ણ પ્રદર્શન શરૂ કર્યા. જોકે, પાકિસ્તાની રેન્જર્સે ઘાતકી પગલાં લીધાં અને નિર્દોષ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો.

હિંસક અથડામણો અને માનવાધિકાર હનન
મુઝફ્ફરાબાદ અને પોંઝા: પ્રદર્શન દરમિયાન સુરક્ષા દળોએ બિનહિંસક ટોળા પર સીધો ગોળીબાર કર્યો.
મૃતકોની સંખ્યા: અત્યાર સુધીમાં 8 લોકોના મોત નીપજ્યા છે.
ઘાયલ: વધુમાં વધુ 100થી વધુ લોકો ઘાયલ, જેમાં ઘણા લોકોની હાલત ગંભીર.
દમન ચાલુ: સ્થાનિકોએ જણાવ્યું છે કે પાકિસ્તાની સેનાએ ઘરોમાં ઘૂસી ધરપકડ શરૂ કરી છે.

લોકો શું માંગે છે?
પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓમાં:
– PoK માટે સ્વતંત્ર શાસન ચાર્ટર
– મૂળભૂત અધિકારોની સુરક્ષા
– સૈન્ય દમનને અટકાવવો
-મોંઘવારી અને બેરોજગારીમાં રાહત
સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લાં ત્રણ દિવસમાં અડધા ડઝનથી વધુ મૃત્યુ થઈ ચૂક્યા છે અને લોકોને દમન હેઠળ રાખવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાની સરકાર અને સેનાનું વલણ
– પાકિસ્તાની સેનાએ લોકોના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો છે.
– સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
– મીડિયા કવરેજ પર પણ પ્રતિબંધો મૂકવાના પ્રયાસો થઈ રહ્યા છે.
આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે માનવાધિકાર ઉલંગનનો મુદ્દો ઉઠાવ્યો છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો અને યુએન દ્વારા આવી પ્રવૃત્તિઓની તપાસ કરવાની માગ ઊઠી શકે છે.

PoKમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન માત્ર સ્થાનિક નારાજગીનો ઉદાહરણ નથી, પરંતુ આ એ આહ્વાન છે કે લોકો હવે દમનશાહી સામે ઉભા રહેવા તૈયાર છે. જ્યારે એક તરફ શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે, બીજી તરફ સરકાર અને સેનાનું ઉગ્ર દમન ચાલુ છે.

Related Posts

લેન્ડિંગ સમયે ઈમરજન્સી ગેટ ખોલીને મુસાફરે લગાવી છલાંગ, Chennai International Airport પર હાઈ એલર્ટ

રવિવારની વહેલી સવારે ચેન્નાઇના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. શારજાહથી આવેલી Air Arabiaની ફ્લાઇટમાં એક મુસાફરે લેન્ડિંગ બાદ ઈમરજન્સી ગેટ ખોલીને વિમાનમાંથી કૂદી પડતા હાહાકાર મચી ગયો…

મહાયુદ્ધની આશંકા ફરી તેજ: Donald Trumpનું ઈરાનને કડક અલ્ટિમેટમ

અમેરિકા અને Iran વચ્ચે સીઝફાયર હોવા છતાં તણાવમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળતો નથી. તાજેતરમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે કડક વલણ અપનાવીને ચેતવણી આપી છે કે જો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *