શ્રી રણછોડરાયજી મંદિર ખાતે ભક્તો માટે વિવિધ ધાર્મિક મનોરથ અને સેવાઓ હવે વધુ મોંઘી બની ગઈ છે. મંદિર કમિટીએ તાજેતરમાં મનોરથના લાગામાં નોંધપાત્ર વધારો જાહેર કર્યો છે, જેના કારણે ભક્તોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
મંદિરના શિખર પર ધજા ચડાવવાના ખર્ચમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ₹610માં થતો ધજા મનોરથ હવે ₹2500માં કરવામાં આવશે. જ્યારે 52 ગજની વિશેષ ધજા ચડાવવા માટે ભક્તોએ હવે ₹11,000 ચૂકવવાના રહેશે.
બાધા-માનતા માટે કરવામાં આવતા રાજભોગ મનોરથના દરોમાં પણ વધારો થયો છે. અગાઉ ₹3900માં થતો રાજભોગ હવે ₹9345માં થશે. તેવી જ રીતે કુંજ મનોરથ માટે પહેલાં ₹5100 લાગતા હતા, જ્યારે હવે આ ખર્ચ વધારીને ₹11,000 કરવામાં આવ્યો છે.
વિશેષ ધાર્મિક પ્રસંગો માટેના મનોરથ પણ મોંઘા બન્યા છે. Tulsi Vivah પ્રસંગે થતો તુલસી વિવાહ મનોરથ અગાઉ ₹25,000માં થતો હતો, જે હવે વધારીને ₹51,000 કરવામાં આવ્યો છે.
મંદિર કમિટીના આ નિર્ણયને લઈને ભક્તોમાં ચર્ચા જામી છે. કેટલાક લોકો મંદિરના વધતા સંચાલન ખર્ચ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ વધારો યોગ્ય ગણાવી રહ્યા છે, જ્યારે ઘણા ભક્તોનું માનવું છે કે “ગરીબોના બેલી” કહેવાતા રણછોડરાયજીના મનોરથ હવે સામાન્ય લોકો માટે મોંઘા બની રહ્યા છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





