
ફિલ્મ નિર્દેશક સનોજ મિશ્રાએ આ સમગ્ર ઘટનાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે મોનાલિસા ‘લવ જિહાદ’ના જાળમાં ફસાઈ ગઈ છે અને તેમના મેનેજરે તેનો “સોદો” કરી દીધો હોવાનો દાવો કર્યો છે. તેમના આ નિવેદન બાદ મામલો વધુ ગરમાયો છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
મોનાલિસાએ બીજી તરફ સ્પષ્ટતા કરી છે કે તેમણે પોતાની ઈચ્છાથી લગ્ન કર્યા છે અને આ મામલો ‘લવ જિહાદ’ સાથે સંબંધિત નથી. તેમણે કહ્યું કે પરિવાર તરફથી દબાણ અને ધમકીઓ મળતાં તેઓએ આ નિર્ણય લીધો હતો. લગ્ન બાદ તેમણે સુરક્ષાની માંગ પણ કરી હોવાનું જણાવાયું છે.
આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતાં લોકોમાં શંકા અને ચર્ચા વધુ તેજ બની છે. કેટલાક લોકો આ ઘટનાને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે તો કેટલાક ધાર્મિક અને સામાજિક દ્રષ્ટિએ ચર્ચા કરી રહ્યા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






