રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલાકાત લીધી

ગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના સાંસદઓ અને ધારાસભ્યઓના પ્રતિનિધિ મંડળ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો અને આઇકોનિક અટલબ્રિજની મુલાકાત લીધી હતી.

‘ભારત એક ગાથા’ થીમ પર આધારિત 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શૉની મુલાકાત દરમિયાન રાજ્યપાલ અને પ્રતિનિધિ મંડળના સભ્યોએ ફૂલોથી કંડારેલી મનમોહક કૃતિઓ નિહાળી હતી. ભારતના ઉત્સવો, નૃત્ય શૈલીઓ, બાળકોનું ભારત, શાશ્વત ભારત અને ભારતની વૈશ્વિક સિદ્ધિઓને પ્રદર્શિત કરતા સ્કલ્પચર્સ જોઈને સૌ મહાનુભાવોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

વિશેષ કૃતિઓ બની આકર્ષણનું કેન્દ્ર
ખાસ કરીને, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામેલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ફૂલ ચિત્ર (Floral Portrait), ‘સ્ત્રી સશક્તીકરણ’ થીમ પર આધારિત સ્કલ્પચર અને યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર ‘દિવાળી’ પર તૈયાર કરાયેલી વિશેષ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ફૂલ, કળા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિને રજૂ કરતી આ કૃતિઓએ મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આઇકોનિક અટલ બ્રિજની મુલાકાત લીધી
આ મુલાકાત દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ રાજ્યપાલ અને પ્રતિનિધિ મંડળને ફ્લાવર શોના આયોજન, તેની પૂર્વતૈયારીઓ અને વિવિધ કલાત્મક કૃતિઓની તકનીકી વિગતોથી માહિતગાર કર્યા હતા. ફ્લાવર શો બાદ પ્રતિનિધિ મંડળે આઇકોનિક અટલ બ્રિજની મુલાકાત લીધી હતી અને તેના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે લેડી ગવર્નર દર્શના દેવીજી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અજિતેશ ઔરંગાબાદકર અને જયેશ ઉપાધ્યાય સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

દિલજીત દોસાંજનો કેનેડામાં દબદબો: ખાલિસ્તાની ઝંડા લહેરાવનારાઓને સ્ટેજ પરથી ચેતવણી

કેનેડામાં લાઈવ કોન્સર્ટ દરમિયાન પંજાબી ગાયક દિલજીત દોસાંઝે ખાલિસ્તાની સમર્થનમાં સૂત્રોચ્ચાર કરનારા કેટલાક લોકો સામે કડક વલણ અપનાવીને ચર્ચાનો વિષય બની ગયો છે. કોન્સર્ટ દરમિયાન બનેલી આ ઘટના હવે સોશિયલ…

લેન્ડિંગ સમયે ઈમરજન્સી ગેટ ખોલીને મુસાફરે લગાવી છલાંગ, Chennai International Airport પર હાઈ એલર્ટ

રવિવારની વહેલી સવારે ચેન્નાઇના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. શારજાહથી આવેલી Air Arabiaની ફ્લાઇટમાં એક મુસાફરે લેન્ડિંગ બાદ ઈમરજન્સી ગેટ ખોલીને વિમાનમાંથી કૂદી પડતા હાહાકાર મચી ગયો…