“કલાકારો, કોમેડી અને આતશબાજી સુધી… કાંકરિયા કાર્નિવલ તૈયાર!” કાર્નિવલમાં જાણો શું હશે ખાસ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે નવા વર્ષની શરૂઆત પહેલા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરે છે. આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ યોજાશે. શહેરવાસીઓ અને મુલાકાતીઓ માટે આ કાર્નિવલ મફતમાં ખુલ્લો રહેશે, જેમાં મનોરંજન, સંસ્કૃતિ અને સર્જનાત્મકતા ભરપૂર કાર્યક્રમો જોવા મળશે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે કાંકરિયા કાર્નિવલની શરૂઆત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી. આ વર્ષે 25 ડિસેમ્બરે સાંજે 7 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે.

કાર્નિવલ દરમિયાન ગુજરાતના જાણીતા કલાકારો કિર્તીદાન ગઢવી, સંકેત ખાંડેકર, પાર્થ ઓઝા અને ગીતાબેન રબારી સંગીત કાર્યક્રમો રજૂ કરશે. 29 ડિસેમ્બરે સ્ટેન્ડઅપ કોમેડી શો માટે મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દીપ વૈદ અને ચિરાયુ મિસ્ત્રી હાજર રહેશે. 30 ડિસેમ્બરે ગિરિરાજ ગઢવી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે, જ્યારે 31 ડિસેમ્બરે ઈશાની દવે ગુજરાતી ગીત-સંગીતની રાત્રિમાં ઉપસ્થિત રહેશે.કાર્નિવલમાં દરરોજ સાંજે 7 થી 10 વાગ્યા સુધી વિવિધ કલાકારોના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત રાત્રે લેઝર શો, સાઉન્ડ શો, ડ્રોન શો, આતશબાજી, ડીજે નાઈટ, રોક બેન્ડ પર્ફોર્મન્સ, ક્લાઉન ફેસ્ટિવલ, જગલર શો અને મ્યુઝિકલ ફાઉન્ટેન જેવા આકર્ષણો પણ જોવા મળશે.

મનોરંજન સાથે સાથે વિવિધ સ્પર્ધાઓ પણ યોજાશે- ફૂડ કોમ્પિટિશન, યોગા અને ઝુંબા, પેઈન્ટિંગ કોમ્પિટિશન, મેંહદી, નેઈલ આર્ટ, ટેટુ મેકિંગ, લેખન સ્પર્ધા અને ગેમિંગ ઇવેન્ટ્સ. આ સ્પર્ધાઓમાં બાળકો, યુવાનો અને મહિલાઓ માટે ખાસ તક રહેશે.છેલ્લા બે વર્ષથી કાંકરિયા કાર્નિવલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામી ચૂક્યો છે. આ વર્ષે પણ તેને ફરીથી વિશ્વસ્તરે સ્થાન મળે તે માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે.કાર્નિવલ માટે ત્રણ મુખ્ય સ્ટેજ બનાવવામાં આવ્યા છે – પોસ્ટકુંજ બાલવાટિકા, વ્યાયામ વિદ્યાલય અને પુષ્પકુંજ. પુષ્પકુંજ ખાતેથી 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી દ્વારા કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

Related Posts

Khedbrahma : ભાદરવી પૂનમ મેળા માટે અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ Easy Transit 2026

ભાદરવી પૂનમ મેળા માટે અસારવા-Khedbrahma વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ Khedbrahmaમાં યોજાતા પ્રસિદ્ધ ભાદરવી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેના Ahmedabad મંડળ દ્વારા અસારવા અને Khedbrahmaવચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેનનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. 19 સપ્ટેમ્બર 2026થી શરૂ થયેલી આ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન 1 ઓક્ટોબર 2026 સુધી દરરોજ દોડાવવામાં આવશે. ભાદરવી પૂનમના પ્રસંગે Khedbrahma ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પહોંચે છે. આ દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોવાથી તેમને સરળ અને સુવિધાજનક પરિવહન મળી રહે તે માટે રેલવે દ્વારા આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. -> શ્રદ્ધાળુઓની સુવિધા માટે ખાસ ટ્રેન : Khedbrahma ખાતે યોજાતા ભાદરવી પૂનમ મેળામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચતા હોય છે. ખાસ…

Ahmedabad જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ, વિવિધ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે કલેક્ટરની સૂચના Problem Shift 2026

Ahmedabad જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ, વિવિધ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે કલેક્ટરની સૂચના Ahmedabad જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન Ahmedabad જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સંકલન સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેમનું સત્વરે અને હકારાત્મક રીતે નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને કલેક્ટર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. -> સંકલન બેઠકમાં વિવિધ પ્રશ્નો પર ચર્ચા  : જિલ્લા સંકલન સમિતિની બેઠકનો મુખ્ય હેતુ વિવિધ સરકારી વિભાગો વચ્ચે સંકલન વધારીને લોકોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવાનો રહ્યો હતો. બેઠક દરમિયાન શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના પ્રાથમિક પ્રશ્નો ઉપરાંત માળખાકીય સુવિધાઓ સાથે સંકળાયેલા મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા.શહેરી…