મહેસાણામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ: રૂ. 96 લાખનો જથ્થો સીઝ, 18 સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલાયા

મહેસાણાના ગિલોસણ ગામે ઘી બનાવતી એક શંકાસ્પદ ફેક્ટરીમાં નકલી ઘી બનાવવાનું ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો છે. “મેસર્સ શિવાન ફૂડ પ્રોડક્ટ્સ” નામની ફેક્ટરીમાં પોલીસે દરોડો પાડી રૂ. 95.59 લાખનો ઘીનો જથ્થો સીઝ કર્યો છે અને ફૂડ તંત્રને જાણ કરી ફેક્ટરીને સીલ કરી દીધી છે.

કઈ રીતે થયો ખુલાસો?
તાલુકા પોલીસના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ગિલોસણ ગામે આવેલી યુક્રેન એસ્ટેટમાં શંકાસ્પદ હલચલ જોવા મળતાં પોલીસએ તાત્કાલિક દરોડો પાડી પટેલ નિતેશભાઈ ગોવિંદભાઈ નામના વ્યક્તિની માલિકીની આ ફેક્ટરીમાં નકલી ઘી બનાવાતું હોવાનું સામે આવ્યું. ફૂડ વિભાગ અને પોલીસે સંયુક્ત તપાસ શરૂ કરી

સેમ્પલ અને સીઝ કરાયેલો જથ્થો:
– કુલ 18 સેમ્પલ અલગ અલગ બ્રાન્ડના ઘીના લેવામાં આવ્યા
– અંદાજે 16,812 લીટર ઘીનો જથ્થો રોકી પાડાયો, કુલ કિંમત રૂ. 95,59,712
– શંકાસ્પદ ઘીના બ્રાન્ડ્સમાં અમૃત પ્યોર ઘી, અમૃત કાઉ ઘી, ગૌધારા કાઉ ઘી સહિતના નામ સામેલ
– 75 પતરાના ડબ્બા અને આશરે 700 કાર્ટન બોક્સ પણ સીઝ

આગામી કાયદાકીય પગલાં શું?
– ઈન્ચાર્જ ફૂડ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે તમામ સેમ્પલ સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે
– રિપોર્ટ બાદ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે
– જો રિપોર્ટ સબ-સ્ટાન્ડર્ડ આવે તો અન્ય નિવાસી કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ
– જો રિપોર્ટ અનસેફ આવે તો જુડીશિયલ કોર્ટમાં કેસ ચાલી શકે

મહેસાણામાં ઘટેલી આ ઘટના માત્ર ખાદ્ય સુરક્ષા જ નહીં, પરંતુ જનસ્વાસ્થ્ય માટે પણ ગંભીર ચિંતા ઉભી કરે છે. તંત્રની ઝડપી કાર્યવાહી અને પોલિસની ચુસ્ત પેટ્રોલિંગના કારણે ભવિષ્યના મોટા ભેળસેળના બનાવો અટકાવાયા. હવે લેબ રિપોર્ટ સામે આવ્યાં બાદ નકલી ઘી બનાવનારા સામે કડક કાયદેસર પગલાં લેવાશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

કળયુગી પિતાએ 29 વર્ષના પુત્રની કરાવી હત્યા, કારણ જાણી ચૌકી જશો

ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનિકેત શર્મા (29) ની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેનો મૃતદેહ મુરાદાબાદમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તે માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે…