CM ભુપેન્દ્ર પટેલ કુંભમેળાની લેશે મુલાકાત, આ તારીખે જશે પ્રયાગરાજ

B INDIA અમદાવાદ : ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળો યોજાયો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુંભમેળામાં જશે. પ્રયાગરાજ ખાતે 3 ફેબ્રુઆરીના રોજ ભૂપેન્દ્ર પટેલ કુંભ મેળામાં જશે તેવા સમાચાર સામે આવ્યા છે. કાર્યકર અને ધારાસભ્ય તરીકે મૌન રહીને પક્ષની કામગીરી કરનાર ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યના વિકાસને ગતિ મળે છે. આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં CM ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ ખાતે ઉજવણી થઈ રહેલ મહા કુંભ મેળાની મુલાકાત લેશે.

મહત્વનું છે કે ભારતમાં કુંભ સ્નાનનું વિશેષ માહાત્મ્ય છે. ભારતમાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થતું હોય છે.દેશમાં વિશિષ્ટ સ્થાનો પર જ કુંભ મેળાની ઉજવણી થતી હોય છે.આ સ્થાનોમાં પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકનો સમાવેશ થાય છે.આ વર્ષે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જાન્યુઆરી મહિનાની 13 તારીખે શરૂ થયેલ મહાકુંભ ફેબ્રુઆરીની 26 તારીખ સુધી ચાલશે. આ પહેલા 2013માં મહાકુંભ મેળાનું આયોજન થયું હતું કુંભમાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે.

શાહી સ્નાનમાં ભક્તો ઉત્સાહ પૂર્વક ભાગ લેતા હોય છે. આ વખતે 13મી જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાનું સ્નાન, 12 ફેબ્રુઆરીએ મહા પૂર્ણિમાનું સ્નાન અને 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનું સ્નાન પણ મહત્વ ધરાવે છે.આ ઉપરાંત આ વખતે પ્રથમ શાહી સ્નાન 14 જાન્યુઆરીએ બીજું શાહી સ્નાન 29 જાન્યુઆરીએ અને ત્રીજું શાહી સ્નાન 3જી ફેબ્રુઆરીએ યોજાશે. જણાવી દઈએ કે, 3જી ફેબ્રુઆરીના રોજ હિંદુ ધાર્મિક તિથિ મુજબ વસંતપંચમીનો દિવસ છે. વસંતપંચમીનો દિવસ હિંદુ પરંપરામાં બહુ ખાસ માનવામાં આવે છે. અને ભૂપેન્દ્ર પટેલ પણ 3 ફેબ્રુઆરીના રોજ મહાકુંભની મુલાકાતે જવાના છે.

Related Posts

સ્પેન-અમેરિકા વેપાર સંબંધો: અટકળો વચ્ચે સ્પેનનું સ્પષ્ટ વલણ, સંબંધોને ગણાવ્યા અતૂટ

સ્પેનનું સ્પષ્ટ વલણ: અમેરિકા સાથેના વેપાર સંબંધો અતૂટ અને મજબૂત મેડ્રિડ: તાજેતરમાં વેપાર સંબંધિત નિવેદનો બાદ સર્જાયેલી અટકળો પર પૂર્ણવિરામ મૂકતા, સ્પેનની સરકાર દ્વારા એક સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે.…

જોહાનિસબર્ગમાં હવાની ગુણવત્તા જોખમી સ્તરે: શહેર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ

જોહાનિસબર્ગમાં હવાની ગુણવત્તા કથળી: વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સ્થાન જોહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકાનું સૌથી મોટું શહેર જોહાનિસબર્ગ હાલમાં ગંભીર વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. 8 જુલાઈ, 2026ના રોજ નોંધાયેલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *