Bureau of Indian Standards (BIS) દ્વારા પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ અંગે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ હવે પેટ્રોલમાં 30 ટકા સુધી ઈથેનોલ મિશ્રણ કરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી પેટ્રોલમાં મહત્તમ 20 ટકા સુધી ઈથેનોલ મિશ્રણ કરવામાં આવતું હતું.
કેન્દ્ર સરકારે 15 મે 2026ના રોજ આ નિર્ણયને મંજૂરી આપ્યા બાદ BISએ E22, E25, E27 અને E30 જેવા નવા ઈથેનોલ મિશ્રણ માટે ગુણવત્તા ધોરણો અને માપદંડો નક્કી કર્યા છે. આ પગલું ભારતના બાયોફ્યુઅલ અને ઊર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
સરકાર લાંબા સમયથી પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધારવા પર ભાર મૂકી રહી હતી. નવા નિયમોથી દેશમાં ક્રૂડ ઓઈલની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે. સાથે જ પ્રદૂષણમાં ઘટાડો, વૈકલ્પિક ઈંધણના ઉપયોગમાં વધારો અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ નિર્ણયથી ખાસ કરીને ખાંડ ઉદ્યોગ અને બાયોફ્યુઅલ ક્ષેત્રને મોટો લાભ મળવાની શક્યતા છે. ઈથેનોલ ઉત્પાદન વધતા શેરડી આધારિત ઉદ્યોગોને નવી તક મળશે, જ્યારે દેશની ઊર્જા સુરક્ષા પણ વધુ મજબૂત બનશે.
All India Distillers Association (AIDA)એ પણ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. સંસ્થાના અધ્યક્ષ વિજેન્દર સિંહએ જણાવ્યું કે BIS દ્વારા E22થી E30 ફ્યૂલ્સ માટે જાહેર કરાયેલા ધોરણો માત્ર નિયમો નહીં પરંતુ ભારતની ભાવિ ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું છે. નિષ્ણાતો માને છે કે ઈથેનોલ મિશ્રણ વધારવાથી આયાતી ઈંધણ પરનો ખર્ચ ઘટશે અને “આત્મનિર્ભર ભારત” અભિયાનને પણ વધુ ગતિ મળશે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





