દેશમાં વધી રહેલા અસામાન્ય વસ્તી પરિવર્તન અને ઘૂસણખોરીના મુદ્દે કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું કે કેન્દ્ર સરકારે વસ્તી વિષયક પરિવર્તનના અભ્યાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.
“રાષ્ટ્ર માટે ગંભીર પડકાર”
અમિત શાહે જણાવ્યું કે ગેરકાયદે ઘૂસણખોરી અને અન્ય પરિબળોને કારણે થતા અસામાન્ય વસ્તી પરિવર્તન દેશના વર્તમાન અને ભવિષ્ય બંને માટે ગંભીર પડકાર ઉભો કરી શકે છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા, સામાજિક સંતુલન અને આદિવાસી સમાજના હિતોને ધ્યાનમાં રાખીને આ સમિતિની રચના કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીએ કરી હતી જાહેરાત
ગૃહમંત્રી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2025ના રોજ આવા હાઇ લેવલ કમિટીની જાહેરાત કરી હતી. હવે સરકારે સત્તાવાર રીતે સમિતિની રચના કરી છે.
સમિતિમાં કોણ કોણ સામેલ?
સરકાર દ્વારા રચાયેલી આ ઉચ્ચ સ્તરીય સમિતિની અધ્યક્ષતા નિવૃત્ત ન્યાયાધીશ પ્રકાશ પ્રભાકર નાઓલેકર કરશે. સમિતિના અન્ય સભ્યોમાં:
– પૂર્વ IAS અધિકારી દુર્ગા શંકર મિશ્રા
– પૂર્વ IPS અધિકારી બાલાજી શ્રીવાસ્તવ
– ડૉ. શમિકા રવિ
– વસ્તી ગણતરી કમિશનર
નો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ (વિદેશી-I) સમિતિના સભ્ય સચિવ તરીકે કામગીરી સંભાળશે.
અસામાન્ય વસ્તી ફેરફારોનો થશે અભ્યાસ
અમિત શાહે જણાવ્યું કે આ સમિતિ દેશભરમાં ગેરકાયદે સ્થળાંતર અને અન્ય અસામાન્ય કારણોને કારણે થતા વસ્તી પરિવર્તનનો વ્યાપક અભ્યાસ કરશે.
સમિતિ ખાસ કરીને:
– ધાર્મિક સ્તરે થતા વસ્તી ફેરફારો
– સામાજિક સમુદાયોના બદલાતા આંકડા
– ઘૂસણખોરીથી પ્રભાવિત વિસ્તારો
– રાષ્ટ્રીય સુરક્ષાને પડતા જોખમો
જેવા મુદ્દાઓનું વિશ્લેષણ કરશે.
સરકારને આપશે સમયબદ્ધ ઉકેલ
સમિતિ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કેન્દ્ર સરકારને સુનિયોજિત અને સમયબદ્ધ ભલામણો સોંપશે. સરકારનો હેતુ લાંબા ગાળે દેશની આંતરિક સુરક્ષા અને સામાજિક સંતુલન જાળવવાનો હોવાનું ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276




