કેનેડાની મોટી કાર્યવાહી: લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું

કેનેડા સરકારે ભારતના વિવાદાસ્પદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેતૃત્વ હેઠળની બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન તરીકે સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. કેનેડાના જાહેર સલામતી મંત્રાલય દ્વારા સોમવારના રોજ જાહેર કરાયેલા નિર્ણય અનુસાર, હવે બિશ્નોઈ ગેંગને સહાય કરવી કે સમર્થન આપવું કાયદેસર ગુનો ગણાશે.

કેનેડાની “ટેરર લિસ્ટ”માં બિશ્નોઈ ગેંગનો સમાવેશ
કેનેડાની ટેરરિસ્ટ એન્ટિટીઝ લિસ્ટમાં બિશ્નોઈ ગેંગને ઉમેરવાનો નિર્ણય કન્ઝર્વેટિવ પાર્ટી અને NDP નેતાઓની માંગણીઓ પછી લેવામાં આવ્યો છે. આ પગલાને પગલે હવે કેનેડિયન અધિકારીઓએ ગેંગ વિરુદ્ધ વધુ કડક પગલાં લેવા માટે પૂરતું કાનૂની આધાર મેળવ્યો છે.

તેમાં સામેલ છે:
– ગેંગની સંપત્તિ જપ્ત કરવી
– બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવી
– તેમના સંભવિત સમર્થકો અને નેટવર્ક સામે કાર્યવાહી

બિશ્નોઈ ગેંગ સામે લાગેલા ગંભીર આરોપો
કેનેડાના જાહેર સલામતી વિભાગ મુજબ, લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ ભારતમાંથી જેલમાં બેઠા બેઠા મોબાઇલ ફોનથી ગેંગની પ્રવૃત્તિઓને ચલાવતી હતી. ગેંગ પર હત્યા, ગોળીબાર, ખંડણી ઉઘરાવવી, આગચંપી અને સંગઠિત અપરાધોમાં સંડોવણીના ગંભીર આરોપ છે. ખાસ કરીને કનેડામાં વસતા ભારતીય મૂળના લોકોના વ્યવસાયો અને સાંસ્કૃતિક સ્થળોને નિશાન બનાવવાનું ગેંગનું ષડ્યંત્ર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કેનેડિયન નાગરિકો માટે હવે આ ‘ગુનો’ છે
જાહેર કરાયેલ પ્રેસ રિલીઝ અનુસાર, હવે જો કોઈ કેનેડિયન નાગરિક સીધી કે આડકતરી રીતે બિશ્નોઈ ગેંગને નાણાકીય સહાય આપે છે, તેમની મિલકતનો વ્યવહાર કરે છે અથવા ગેંગના ઉપયોગમાં આવે એવી સેવાઓ આપે છે, તો એ હવે ફોજદારી ગુનો ગણાશે. પગલાંનો ઉદ્દેશ માત્ર ગુનેગારી નિયંત્રણ નહીં, પણ કેનેડામાં રહેલા ભારતીય સમુદાય માટે સુરક્ષા અને વિશ્વાસનો માહોલ ઊભો કરવો છે.

કેનેડિયન મંત્રીનું નિવેદન
કેનેડાના જાહેર સલામતી મંત્રી ગેરી આનંદસંગરીએ કહ્યું હતું કે,”કેનેડામાં હિંસા અને આતંક માટે કોઈ જગ્યા નથી. જયાં લોકો ખાસ કરીને એમના સમુદાયને લીધે ડર અને ધમકીમાં જીવે છે, ત્યાં સરકારને સક્રિય થવું જ પડે છે.”

ભારત-કેનેડા સંબંધોની પૃષ્ઠભૂમિ
ગયા વર્ષે, કેનેડાના RCMP એ દાવો કર્યો હતો કે ભારતીય ગેંગો કનેડામાં ખાલિસ્તાન સમર્થકો અને વ્યવસાયીઓને ટાર્ગેટ કરે છે. જોકે, ભારતે આ આરોપોને નિષ્ફળ ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે તે આર્થિક ગુનાઓ સામે કેનેડા સાથે સહયોગ માટે પ્રતિબદ્ધ છે.

Related Posts

આવતીકાલે ‘વર્લ્ડ રેડિયો ડે’ , જાણો આ વર્ષે કઈ થીમ પર થશે ઉજવણી ?

વર્લ્ડ રેડિયો ડે’: સ્ક્રીન વિના સંવાદ એટલે ‘રેડિયો’ ચાલુ વર્ષે ‘રેડિયો અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ સાથે ઉજવાશે ‘રેડિયો ડે’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રેડિયોના માધ્યમથી ‘મન કી બાત’ કાર્યક્રમ થકી…

ભ્રષ્ટાચાર સૂચકાંક 2025: ભારત 91મા ક્રમે, સ્કોરમાં સુધારો છતાં પડકાર યથાવત

ગ્લોબલ ટ્રાન્સપરન્સી દ્વારા જાહેર કરાયેલા 2025ના ભ્રષ્ટાચાર સૂચકાંક (Corruption Perceptions Index) મુજબ ભારત હવે વિશ્વમાં 91મા ક્રમે પહોંચ્યું છે. 2024ની સરખામણીમાં 2025માં ભારતના સ્કોરમાં સુધારો નોંધાયો છે, છતાં ભ્રષ્ટાચાર સામેની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *