રશિયામાં લોહિયાળ ખેલ: મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં કિશોરનો છરીથી હુમલો, એક ભારતીય સહિત 8 ઘાયલ

રશિયાના બાશ્કોર્ટોસ્તાન રિપબ્લિકમાં આવેલી ઉફા સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના હોસ્ટેલમાં શનિવારે સાંજે ભયાનક ઘટના સામે આવી છે. હોસ્ટેલના સ્પોર્ટ્સ હોલમાં ઘૂસી આવેલા 15 વર્ષીય કિશોરે અચાનક વિદેશી વિદ્યાર્થીઓ પર છરીથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક ભારતીય વિદ્યાર્થી સહિત કુલ 6 વિદેશી વિદ્યાર્થીઓ અને 2 રશિયન પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હુમલાખોર કિશોર છાત્રાલયમાં ઘૂસીને સ્પોર્ટ્સ હોલમાં હાજર વિદ્યાર્થીઓ પર આડેધડ છરીના ઘા મારવા લાગ્યો હતો. ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. હુમલાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ધરપકડનો પ્રતિકાર કરતા હુમલાખોરે બે પોલીસ અધિકારીઓને પણ છરી મારી હતી.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલા બાદ આરોપીએ પોતાને પણ ગંભીર ઇજા પહોંચાડી હતી. રશિયન મીડિયા ચેનલ ‘રેન ટીવી’ મુજબ ઘટનાસ્થળે ચારેબાજુ લોહીના ડાઘા જોવા મળ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

આ ઘટનાને પગલે રશિયન તપાસ સમિતિ અને ગૃહ મંત્રાલયે કડક તપાસ શરૂ કરી છે. યુનિવર્સિટી પ્રશાસને હજુ સુધી ઘાયલ વિદ્યાર્થીઓની સત્તાવાર રાષ્ટ્રીયતા જાહેર કરી નથી, પરંતુ ટેલિગ્રામ ચેનલ ‘112’એ પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને જણાવ્યું છે કે ઘાયલોમાં ઓછામાં ઓછો એક ભારતીય વિદ્યાર્થી સામેલ છે.

હુમલાખોર કિશોરને ગંભીર હાલતમાં બાળકોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોની સ્થાનિક ક્લિનિકલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને લઈ ભારતીય દૂતાવાસ પણ માહિતી એકત્ર કરી રહ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

યુક્રેનનો રશિયા પર મોટો ડ્રોન હુમલો, ઓઈલ રિફાઈનરીમાં ભીષણ આગ; અલગ-અલગ ઘટનાઓમાં 3ના મોત

રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. રવિવારે યુક્રેને રશિયાના અનેક વિસ્તારોમાં લાંબા અંતરના ડ્રોન હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં દક્ષિણ રશિયાની એક…

અમદાવાદમાં આવતીકાલે જગન્નાથજીની પરંપરાગત જળયાત્રા, 108 કળશથી જળાભિષેક બાદ ગજવેશના થશે દર્શન

અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે અમદાવાદના જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરમાં આવતીકાલે (29 જૂન) પરંપરાગત જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગને લઈને મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ…