એશિયા કપ 2025 : ભારતે 146 રનમાં પાકિસ્તાનનો પતરો પાટ્યો, હવે જીતથી માત્ર 147 રન દૂર

એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને માત્ર 146 રન પર ઓલઆઉટ કરી દીધું છે. ભારતીય સ્પિન ત્રિપુટી કુલદીપ, અક્ષર અને વરુણ ચક્રવર્તીએ પાકિસ્તાનના બેટિંગ લાઇનઅપને ઘૂંટણીયે પાડી દીધો. હવે ભારતને 147 રન બનાવીને ત્રિજયા હેટ્રિક સાથે Asia Cup ટ્રોફી પોતાના નામ કરવાની તક છે.

ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો
મેચના શરૂમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું. નિર્ણય સચોટ સાબિત થયો. શરૂઆતમાં પાકિસ્તાનને મજબૂત ઓપનિંગ મળ્યું, પરંતુ સ્પિનરોના આગ ફેકતાં બોલ સામે માહિર શૂટર જેવું નિશાન સાધીને ભારતે વિજયની દિશામાં પગલાં મૂક્યાં.

84-1 થી 146 ઓલઆઉટ – સ્પિનરોએ ચમક દેખાડી
એક સમયે પાકિસ્તાનનો સ્કોર 10 ઓવરમાં 84/1 હતો, પણ ત્યાર પછી ભારતીય બોલરોના ઓવર સ્પેલમાં આવીને પૂર્ણપણે બેસી ગયાં. આખા ઇનિંગ્સમાં ફક્ત 62 રનમાં પાકિસ્તાને 9 વિકેટ ગુમાવી દીધી.

બોલિંગ હીરોઝ:
કુલદીપ યાદવ – 4 ઓવરમાં 30 રન, 4 વિકેટ
વરુણ ચક્રવર્તી – 4 ઓવરમાં 2 વિકેટ
અક્ષર પટેલ – 2 વિકેટ
જસપ્રિત બુમરાહ – 2 વિકેટ
પાકિસ્તાનની બેટિંગ લાઇનઅપ જે એક સમયે 180+ની દિશામાં આગળ વધી રહી હતી, તે માત્ર 146 રન પર સમાપ્ત થઈ.

પાકિસ્તાન બેટિંગ રિપોર્ટ
સાહિબઝાદા ફરહાન – 38 બોલ, 57 રન
ફખર ઝમાન – 46 રન
પછી કોઈ પણ બેટ્સમેન 15 રનનો આંક પણ પાર ન કરી શક્યો.
ભૂતપૂર્વ આક્રમક બેટિંગ શૈલી માટે જાણીતી પાકિસ્તાની ટીમ, આજે ભારતીય સ્પિનરો સામે તારણારહીત જોવા મળી.

ભારતની પ્લેઇંગ XI:
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી

પાકિસ્તાનની પ્લેઇંગ XI:
સલમાન અલી આગા (કેપ્ટન), સાહિબઝાદા ફરહાન, ફખર ઝમાન, સૈમ અયુબ, હુસૈન તલત, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, હરિસ રઉફ, અબરાર અહેમદ

Related Posts

NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…

અંકલેશ્વરમાં સાહિત્યનો વરસાદ: ‘વરસાદી વાયરા’ કવિ સંમેલનનો ભવ્ય પ્રારંભ.

અંકલેશ્વરમાં સાહિત્યની મહેક: ‘વરસાદી વાયરા’ કવિ સંમેલનમાં કવિઓના શબ્દોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા! અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા માનવ મંદિર હોલ ખાતે સાહિત્ય ફોરમ, અંકલેશ્વર દ્વારા આયોજિત ‘વરસાદી વાયરા’ કવિ સંમેલન સાહિત્યપ્રેમીઓની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *