આંધ્ર પ્રદેશ: ભૂતપૂર્વ નાણામંત્રીનું મોટું નિવેદન: “ટીડીપી સરકારની NSD નીતિ રાજ્ય માટે ખતરનાક”

આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ નાણામંત્રી અને YSR કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા બુગ્ગના રાજેન્દ્રનાથ રેડ્ડીએ રાજ્યની સરકારે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD) નીતિ સામે સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છે. તેમણે આ નીતિને રાજ્યના આર્થિક ભવિષ્ય માટે “ખતરનાક” ગણાવી છે.

વિધાનસભામાં નિવેદન આપતા રાજેન્દ્રનાથ રેડ્ડીએ જણાવ્યું હતું કે ચંદ્રબાબુ નાયડુની નેતૃત્વવાળી TDP સરકારે જે રીતે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરો (NCDs) મારફતે નાણાં ભેગાં કરવા માટે ડાયરેક્ટ ડેબિટ મિકેનિઝમની ઍક્સેસ આપવા પગલાં ભર્યા છે, તે રાજ્યના કોન્સોલિડેટેડ ફંડ માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે.

તેમણે જણાવ્યું કે, “જો ડાયરેક્ટ ડેબિટ મિકેનિઝમને મંજૂરી આપવામાં આવે છે, તો બોન્ડના કસ્ટોડિયનોને રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયામાં રહેલા રાજ્યના નાણાંમાંથી સીધું ચુકવણી કરવાનો અધિકાર મળી જશે. આ નિર્ણય રાજ્યની નાણાકીય સલામતી માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે.”

YSRCP તરફથી આ મુદ્દે સરકાર સામે પ્રતિકાર નોંધાવતો આક્રોશ પ્રવર્તી રહ્યો છે. પાર્ટીનું કહેવું છે કે આમ જનતાના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આ નિર્ણય પર ફરીથી વિચાર કરે અને જરૂર પડે તો આ નીતિને પાછી ખેંચે.

Related Posts

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, લાગ્યો હતો મોટો આરોપ

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે તેમની સામેના સાપના ઝેરના કેસને ફગાવી દીધો છે. યુટ્યુબર પર નવેમ્બર…

કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે સરકારનો મોટો નિર્ણય, રાજ્યોને મળશે 10 ટકા વધારાનો LPG ક્વોટા

કેન્દ્ર સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેની સીધી અસર વ્યવસાયો અને ગ્રાહકો બંને પર પડી શકે છે. સરકારે રાજ્યોને વધારાનો 10% LPG ક્વોટા આપવાનો નિર્ણય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *