તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાને પોતાના પરમાણુ સ્થળોની યાદી એકબીજાને કેમ સોંપી, જાણો વિગત

ભારત અને પાકિસ્તાને ગુરુવાર, 1 જાન્યુઆરીના રોજ રાજદ્વારી ચેનલો દ્વારા તેમના પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની યાદીઓ શેર કરી. વિદેશ મંત્રાલયની એક અખબારી યાદી અનુસાર, આ આદાનપ્રદાન ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ પર હુમલા પર પ્રતિબંધ અંગેના કરાર હેઠળ કરવામાં આવ્યું હતું.

બંને દેશો વચ્ચેનો આ કરાર 31 ડિસેમ્બર, 1988 ના રોજ હસ્તાક્ષરિત થયો હતો અને 27 જાન્યુઆરી, 1991 ના રોજ અમલમાં આવ્યો હતો. કરાર હેઠળ, ભારત અને પાકિસ્તાન દરેક કેલેન્ડર વર્ષની 1 જાન્યુઆરી સુધીમાં, કરાર દ્વારા આવરી લેવામાં આવેલા પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની વિગતો એકબીજાને જાહેર કરવા માટે બંધાયેલા છે. આ કરાર બંને દેશોને એકબીજા સામે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરે છે.

વર્ષ 1992માં પહેલી વખત બન્ને દેશોએ આપ્યું હતું લિસ્ટ
બંને દેશો વચ્ચે આવી યાદીઓનું આ સતત 35મું આદાન પ્રદાન છે. પ્રથમ આદાન-પ્રદાન 1 જાન્યુઆરી, 1992 ના રોજ થયો હતો.આ શેરિંગ એવા સમયે થયું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય તણાવ વધી રહ્યો છે. ગયા વર્ષે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસનું યુદ્ધ થયું હતું. 22 એપ્રિલના રોજ, પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ પર હુમલો કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા.

આ હુમલાના જવાબમાં, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓને નિશાન બનાવીને ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. 7 ઓક્ટોબરના રોજ, ભારતના હુમલામાં 100 થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા.

પાકિસ્તાને હુમલો કરીને જવાબ આપ્યો, જેને ભારતે તેની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા લગભગ નિષ્ફળ બનાવ્યો. ચાર દિવસ પછી, 10 જૂનના રોજ, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી. આ યુદ્ધે બંને દેશો વચ્ચે તણાવ વધુ વધાર્યો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

T20 વર્લ્ડ કપ જીત્યા પછી શા માટે ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા શિવમ દુબે? જાણો સંપૂર્ણ કારણ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યાં ઓલરાઉન્ડર Shivam Dube એ એક એવો નિર્ણય લીધો જે સૌને આશ્ચર્યમાં મૂકી દેતો હતો. અમદાવાદથી મુંબઈ…