અમેરિકાએ ફરી એકવાર યમનમાં હુથી બળવાખોરોને નિશાન બનાવીને ઘાતક બોમ્બમારો કર્યો છે. અમેરિકા દ્વારા તાજેતરના હુમલાઓ હુથીઓના કબજા હેઠળના રાસ એસા તેલ બંદર પર કરવામાં આવ્યા છે. અમેરિકાના હવાઈ હુમલામાં 20 લોકો માર્યા ગયા છે અને 50 અન્ય ઘાયલ થયા છે. હુથી બળવાખોરોએ આ હુમલાની માહિતી આપી છે. યુએસ આર્મીના સેન્ટ્રલ કમાન્ડે પણ આ હુમલાઓની પુષ્ટિ કરી છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સૂચના મળ્યા બાદ, અમેરિકન સેના 15 માર્ચથી હુથી બળવાખોરો સામે ઝડપી હુમલાઓ કરી રહી છે. અમેરિકન સેના દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં માર્યા ગયેલા લોકોની આ સૌથી વધુ સંખ્યા છે. હુથી બળવાખોરોની ન્યૂઝ ચેનલે હુમલા પછીની ઘટનાના ગ્રાફિક ફૂટેજ પ્રસારિત કર્યા હતા, જેમાં ઘટનાસ્થળે મૃતદેહો પથરાયેલા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ ઝૂક્યા ! આપ્યું આ મોટું નિવેદન
અમેરિકન સેનાએ શું કહ્યું?
યુએસ આર્મીના સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ઈરાન સમર્થિત હુતી આતંકવાદીઓ માટે ઇંધણના આ સ્ત્રોતને દૂર કરવા અને તેમને તે ગેરકાયદેસર આવકથી વંચિત રાખવા માટે યુએસ સેનાએ આ કાર્યવાહી કરી છે.” તેમાં કહેવામાં આવ્યું છે કે, “આ હુમલાનો હેતુ યમનના લોકોને નુકસાન પહોંચાડવાનો નહોતો. યમનના લોકો હુથીઓથી મુક્તિ ઇચ્છે છે અને શાંતિથી રહેવા માંગે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







