બેંગલુરુ એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનને ‘ટેલ-સ્ટ્રાઈક’, 181 મુસાફરો સલામત

Air Indiaની દિલ્હીથી બેંગલુરુ જતી ફ્લાઈટ AI2651 સાથે બુધવારે લેન્ડિંગ દરમિયાન ‘ટેલ-સ્ટ્રાઈક’ની ઘટના બની હતી. સદભાગ્યે પાઈલટની સતર્કતા અને કુશળતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને વિમાનમાં સવાર તમામ 181 મુસાફરો તેમજ ક્રૂ સભ્યો સુરક્ષિત રહ્યા હતા. એરલાઈન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 21 મેના રોજ દિલ્હીથી ઉડાન ભરનાર ફ્લાઈટનું Airbus A321 બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ‘ગો-અરાઉન્ડ’ પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન વિમાનના પાછળના ભાગનો રનવે સાથે સંપર્ક થતાં ‘ટેલ-સ્ટ્રાઈક’ની ઘટના બની હતી.

ઘટના બાદ વિમાનને તાત્કાલિક વધુ તકનિકી તપાસ માટે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે. આ કારણે બેંગલુરુથી દિલ્હી જતી પરતની ફ્લાઈટ AI2652 પણ રદ કરવામાં આવી હતી. અસરગ્રસ્ત મુસાફરો માટે એરલાઈન દ્વારા વૈકલ્પિક મુસાફરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એર ઈન્ડિયાએ જણાવ્યું કે એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા મુસાફરોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. એરલાઈનનું કહેવું છે કે મુસાફરોની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે.

તાજેતરના સમયમાં એર ઈન્ડિયાની કેટલીક ફ્લાઇટ્સ સાથે જોડાયેલી ઘટનાઓ સામે આવતા મુસાફરોમાં સુરક્ષા અંગે ચિંતા વધી રહી છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું એરલાઈન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

 

 

 

  • Related Posts

    સોશિયલ મીડિયા પર છવાઈ ‘કોકરોચ જનતા પાર્ટી’, જાણો કોણ છે તેનો સ્થાપક અને શું છે એજન્ડા

    સોશિયલ મીડિયા પર હાલ ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) નામની વર્ચ્યુઅલ પાર્ટી ભારે ચર્ચામાં છે. ખાસ કરીને Instagram પર આ પાર્ટીએ ટૂંકા સમયમાં જ 1 કરોડથી વધુ ફોલોઅર્સ મેળવીને યુવાનોમાં ભારે…

    હજ યાત્રા દરમિયાન તણાવ અટક્યો? સાઉદી–UAEની મધ્યસ્થતાથી અમેરિકા–ઈરાન યુદ્ધ ટળ્યું હોવાના અહેવાલ

    મધ્ય-પૂર્વમાંથી આવી રહેલા અહેવાલો અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે શક્ય મોટો સૈન્ય સંઘર્ષ અટક્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને લઈને ચર્ચા…