અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે દોડશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન, આજથી બુકિંગ થયું શરૂ

આગામી તહેવારોને ધ્યાને લઈને અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે. પશ્ચિમ રેલવેએ આગામી હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને,મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ત્યારે આજથી આ ટ્રેન માટેનું બુકિંગ શરુ થઈ ગયું છે.

-> આજથી બુકિંગ થયુ શરૂ :- ટ્રેન નંબર 09411 માટે બુકિંગ આજથી એટલે કે, 28 ફેબ્રુઆરી, 2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થયું છે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

-> ટ્રેન ક્યારે અને કેટલા વાગ્યે ઉપડશે? :- 01-ટ્રેન નંબર 09411 અમદાવાદ-ગ્વાલિયર સ્પેશિયલ 01 માર્ચથી 28 જૂન 2025 સુધી દર શનિવારે અમદાવાદથી 8.25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 1.00 વાગ્યે ગ્વાલિયર પહોંચશે.

02-ટ્રેન નંબર 09412 ગ્વાલિયર-અમદાવાદ સ્પેશિયલ 2 માર્ચ થી 29 જૂન 2025 સુધી દર રવિવારે ગ્વાલિયરથી 4.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 09.05 વાગ્યે અમદાવાદ પહોંચશે

આ ટ્રેન માર્ગમાં બન્ને દિશાઓમાં આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મકસી, ગુના અને શિવપુરી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે. જેથી મુસાફરો આરામથી મુસાફરી કરી શકશે.

Related Posts

ભાવનગરના મહુવામાં કોળી સેનાના પ્રમુખ મુકેશ ઢાપા પર જીવલેણ હુમલો, CCTV દ્રશ્યો આવ્યા સામે

મહુવા ખાતે કોળી સેનાના પ્રમુખ મુકેશ ઢાપા પર જીવલેણ હુમલાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં કેટલાક શખ્સો દ્વારા મુકેશ…

અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પાસે ભીષણ આગ, અનેક બાઈક અને એક્ટિવા બળીને ખાક

અમદાવાદના વ્યસ્ત ઇસ્કોન ક્રોસ રોડ નજીક આજે ભીષણ આગની ઘટના સર્જાતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગેસના બાટલામાં અચાનક આગ ફાટી નીકળતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *