સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આવશે ગુજરાત, જાણો કઈ તારીખે ?

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તા. 8 અને 9 એપ્રિલ 2025ના રોજ એઆઈસીસી અધિવેશન યોજશે. આ મહત્વપૂર્ણ બેઠકમાં દેશભરના એઆઈસીસી પ્રતિનિધિઓ અમદાવાદમાં એકત્રિત થશે. જ્યાં પક્ષના આગામી કામગીરી અંગે માર્ગદર્શન નિર્ધારિત કરવામાં આવશે. અધિવેશન 8 એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક સાથે શરૂ થશે જે પછી 9 એપ્રિલેના રોજ એઆઈસીસી પ્રતિનિધિઓની બેઠક યોજાશે.

આ બંને બેઠકમાં માનનીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરશે. તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય એઆઈસીસી પ્રતિનિધિઓ હાજર રહેશે. આ એઆઈસીસી અધિવેશન બેલગાવીમાં યોજાયેલી વિસ્તૃત CWC બેઠક (નવા સત્યાગ્રહ બેઠક)માં અપાયેલા ઠરાવની ચાલુ પ્રક્રિયા તરીકે યોજાઈ રહ્યું છે, જે 1924માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષપદ સંભાળવામાં આવેલા કોંગ્રેસ અધિવેશનની 100મી વર્ષગાંઠની યાદમાં યોજાઈ હતી.

મહાત્મા ગાંધી, ડો. ભીમરાવ આંબેડકર અને ભારતીય બંધારણની વારસાને સાચવવાની, સંરક્ષણ કરવાની અને પ્રોત્સાહન આપવા માટેની તાત્કાલિક જરૂરિયાતને માન્યતા આપતાં, 26 જાન્યુઆરી 2025થી 26 જાન્યુઆરી 2026 વચ્ચે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક વિશાળ રાષ્ટ્રીય જનજાગૃતિ અભિયાન “સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા” શરૂ કરશે. સાથે જ, મહાત્મા ગાંધીના જન્મસ્થાન ગુજરાતમાં એઆઈસીસી અધિવેશન યોજીને, અમે સત્ય, અહિંસા અને ન્યાયના તેમના આદર્શો પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાને પુનઃપ્રસ્થાપિત કરીશું.

Related Posts

Surat : સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

surat સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. શહેરના એક ફાર્મ હાઉસમાં કથિત રીતે ચાલી રહેલી દારૂની પાર્ટી પર પોલીસે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં 8 યુવતી અને 14 યુવકો સહિત કુલ 22 લોકોને ઝડપી લેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસની કાર્યવાહી બાદ ફાર્મ હાઉસમાં પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું અને ત્યાં કઈ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી હતી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ફાર્મ હાઉસમાં પાર્ટીની બાતમી પ્રાથમિક માહિતી મુજબ, પોલીસને સુરતના એક ફાર્મ હાઉસમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોવાની માહિતી મળી હતી. આ સ્થળે કથિત રીતે દારૂની પાર્ટી ચાલી રહી હોવાની બાતમીના આધારે પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. માહિતીની ખરાઈ કર્યા બાદ પોલીસ ટીમ ફાર્મ…

PM નરેન્દ્ર મોદીએ 1 કરોડ યુવાનો માટે મફત ઓનલાઈન કોચિંગ, AI તાલીમની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં 1 કરોડ યુવાનોને આગામી એક વર્ષમાં AI તાલીમ આપવાની અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત ઓનલાઈન કોચિંગની જાહેરાત કરી. ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રીએ આગામી એક વર્ષ દરમિયાન 1 કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIની તાલીમ આપવાની જાહેરાત કરી હતી. સાથે જ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે મફત ઓનલાઈન કોચિંગની વ્યવસ્થા ઊભી કરવાની વાત પણ કરી હતી. આ જાહેરાતને ભારતના યુવાનોને ભવિષ્યની ટેક્નોલોજી અને રોજગારની બદલાતી જરૂરિયાતો માટે તૈયાર કરવાના મોટા પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. AIના વધતા ઉપયોગ વચ્ચે નવી ટેક્નિકલ કુશળતા ધરાવતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *