અમદાવાદમાં સમય રૈનાનો શો થયો રદ્દ, આ છે કારણ

રણવીર અલ્હાબાદિયા અને સમય રૈનાની મુશ્કેલીઓ વધી રહી છે. ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં કરવામાં આવેલી અશ્લીલ ટિપ્પણીઓને કારણે રણવીર અને સમય મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સમય રૈનાનો શો જે અમદાવાદમાં થવાનો હતો તે હવે રદ કરવામાં આવ્યો છે. ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ શો અમદાવાદના ઔડા સ્થિત શેલા ઓડિટોરિયમમાં યોજાવાનો હતો.

આ શોનું આયોજન સુરતની એક ઇવેન્ટ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. આ શો 19 અને 20 એપ્રિલના રોજ યોજાવાનો હતો. ટિકિટની કિંમત 999 રૂપિયા, 1499 રૂપિયા અને 2500 રૂપિયા હતી. બુક માય શોએ અમદાવાદ તેમજ દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં શોનું બુકિંગ બંધ કરી દીધું છે.

સમય રૈનાનો શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ તેના બોલ્ડ કન્ટેન્ટને કારણે સમાચારમાં રહે છે. તેના છેલ્લા એપિસોડમાં રણવીર અલ્હાબાદિયા, અપૂર્વ માખીજા અને આશિષ ચંચલાની દેખાયા. આ શોમાં રણવીરે એક સ્પર્ધકને અશ્લીલ પ્રશ્ન પૂછ્યો હતો. અને એ સવાલ વિવાદાસ્પદ બન્યો તેમની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે. વિવાદ વધ્યા બાદ રણવીરે માફી પણ માંગી લીધી. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે કોમેડી તેનો પ્રકાર નથી. તેમણે શોમાં જે કહ્યું, તે તેમણે ન કહેવું જોઈતું હતું. તે પોતાના શબ્દો માટે માફી માંગે છે.

Related Posts

આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’, મળી શકે છે આટલી રકમ

* આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ હેઠળ રૂ. 5 કરોડથી વધુની રકમ અપાઈ : પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ   * આ યોજના હેઠળ 70 થી…

મહાશિવરાત્રિના પર્વ પર રેતીમાંથી તૈયાર થયેલા રેતશિલ્પ નિહાળશે ભાવિકો, જાણો વિગત

મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને સોમનાથમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભક્તિ, ભોજન અને ભજનના આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા આવતા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં રહી અને વહીવટી તંત્રની તમામ તૈયારીઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *