અમદાવાદમાં સમય રૈનાનો શો થયો રદ્દ, આ છે કારણ

રણવીર અલ્હાબાદિયા અને સમય રૈનાની મુશ્કેલીઓ વધી રહી છે. ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં કરવામાં આવેલી અશ્લીલ ટિપ્પણીઓને કારણે રણવીર અને સમય મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સમય રૈનાનો શો જે અમદાવાદમાં થવાનો હતો તે હવે રદ કરવામાં આવ્યો છે. ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ શો અમદાવાદના ઔડા સ્થિત શેલા ઓડિટોરિયમમાં યોજાવાનો હતો.

આ શોનું આયોજન સુરતની એક ઇવેન્ટ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. આ શો 19 અને 20 એપ્રિલના રોજ યોજાવાનો હતો. ટિકિટની કિંમત 999 રૂપિયા, 1499 રૂપિયા અને 2500 રૂપિયા હતી. બુક માય શોએ અમદાવાદ તેમજ દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં શોનું બુકિંગ બંધ કરી દીધું છે.

સમય રૈનાનો શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ તેના બોલ્ડ કન્ટેન્ટને કારણે સમાચારમાં રહે છે. તેના છેલ્લા એપિસોડમાં રણવીર અલ્હાબાદિયા, અપૂર્વ માખીજા અને આશિષ ચંચલાની દેખાયા. આ શોમાં રણવીરે એક સ્પર્ધકને અશ્લીલ પ્રશ્ન પૂછ્યો હતો. અને એ સવાલ વિવાદાસ્પદ બન્યો તેમની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે. વિવાદ વધ્યા બાદ રણવીરે માફી પણ માંગી લીધી. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે કોમેડી તેનો પ્રકાર નથી. તેમણે શોમાં જે કહ્યું, તે તેમણે ન કહેવું જોઈતું હતું. તે પોતાના શબ્દો માટે માફી માંગે છે.

Related Posts

‘મન કી બાત’ની ૧૩૫મી કડી: વડાપ્રધાન મોદીએ આજે દેશને આપ્યો વિકાસનો મંત્ર!

‘મન કી બાત’ની ૧૩૫મી કડી: રાષ્ટ્રના નવનિર્માણ અને જનભાગીદારીનું પર્વ! આજે ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની ૧૩૫મી આવૃત્તિ દ્વારા દેશવાસીઓને સંબોધિત…

આત્મનિર્ભર ગુજરાત તરફ વધુ એક ડગલું! અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નું ભવ્ય લોન્ચિંગ.

ગુજરાતમાં પરિવહન ક્ષેત્રે ક્રાંતિ: અમિત શાહે લોન્ચ કરી ‘ભારત ટેક્સી’ સેવા, ડ્રાઇવરો બનશે માલિક! અમદાવાદ: ગુજરાતના પરિવહન અને રોજગાર ક્ષેત્રે એક ઐતિહાસિક પહેલની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *