મનસુખ વસાવાએ CMને લખ્યો પત્ર, સરકારી શાળાની અવ્યવસ્થામાં સુધારાની કરાઈ માંગ

સરકારી શાળામાં અવ્યવસ્થાને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ CMને પત્ર લખ્યો છે. મનસુખ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલ પત્રમાં નર્મદા-ભરૂચ જિલ્લાની સરકારી શાળામાં અવ્યવસ્થા હોવાની જાણ કરતાં તેમાં સુધારાની માંગ કરી છે. સરકારી શાળાની સ્થિતિ ખરાબ હોવાથી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે છે. આ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. આથી સરકાર આ બાબત ધ્યાને લઈને તેમાં શક્ય તેટલી વહેલી તકે સુધારા કરે તેવી રજૂઆત આ પત્રમાં કરવામાં આવી છે.

સાંસદ મનસુખ વસાવાએ આ પત્રમાં જણાવ્યું કે, આદિવાસી વિદ્યાર્થીઓની સ્થિતિ ખરાબ છે. ડેડીયાપાડાના તાબદામાં શિક્ષકોની ઘટ છે. શાળા તો છે પણ જરૂરી વિષય મુજબ શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ ઉપરાંત શાળામાં ક્લાર્ક, છાત્રાલયમાં ગૃહપતિ, રસોઈયા નથી આથી આ તમામ સ્થાનો પર ભરતી કરવાની માંગ કરી છે. શાળામાં રસોઈયા ન હોવાથી વિદ્યાર્થીઓ જાતે રસોઈ બનાવે છે. આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને શાકભાજી પણ આપવામાં ના આવતા હોવાનો પત્રમાં આક્ષેપ કર્યો હતો.

મનસુખ વસાવા શૈક્ષણિક તેમજ સામાજિક મુદ્દે પડતર પ્રશ્નોને લઈને અનેક વખત પોતાના જ પક્ષના નેતાઓ સામે બાથ ભીડતા જોવા મળે છે. વડાપ્રધાનને પત્ર લખી રાજપીપળાના સ્થાનિકોને સુવિધા મળે તે હેતુ રેલવે લાઈન શરૂ કરવાની માંગ કરી હતી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલ પત્રમાં રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતા ખનન મુદે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આ કૌભાંડમાં અધિકારીઓથી લઈને રાજકીય નેતાઓની સંડોવણી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

Related Posts

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *