સુરતમાં રોગચાળાએ માથુ ઉચક્યું, બે વર્ષનાં બાળકનું મોત

B INDIA સુરત : રાજ્યમાં બેવડી ઋતુને લઈને રોગચાળાએ માથું ઉચક્યું છે. ત્યારે સુરતમાં બે વર્ષીય બાળકનું મોત થયું છે. આ બાળક સિવિલ હોસ્પિટલમાં ન્યુમોનિયાની સારવાર લઈ રહ્યું હતું. 14 જાન્યુઆરીએ બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. અને ત્યારબાદ બાળકની તબિયત સુધારા પર રહેતી ન હતી. અને આખરે તેણે જિંદગીનો દમ તોડી પાડયો હતો.

-> મચ્છરનું ઉત્પાદન વધ્યું ! :- ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

-> ઉકાળેલુ પીવુ જોઈએ પાણી :- બદલતા વાતાવરણને કારણે વાઇરલ ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

Related Posts

રાજકોટ સહિત ગુજરાતમાં મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદીનો ટ્રેન્ડ વધ્યો, છતાં હિસ્સો હજુ ઓછો

ગુજરાતમાં મિલકત માલિકીના ક્ષેત્રમાં મહિલાઓનો હિસ્સો ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે. વિધાનસભામાં રજૂ થયેલા સત્તાવાર આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ 16.52 લાખથી વધુ વેચાણ દસ્તાવેજો નોંધાયા…

ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, 7.30 કલાકની ચર્ચા બાદ બહુમતિથી મંજૂરી

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આજે મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ 7.30 કલાકની સઘન ચર્ચા બાદ બહુમતિથી પસાર કરવામાં આવ્યું. ઉત્તરાખંડ પછી ગુજરાત દેશમાં આ કાયદો પસાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *