હવામાન વિભાગની આજની આગાહી, જાણો વરસાદ પડશે કે નહીં પડે?

B INDIA ગાંધીનગર : ગુજરાતનાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. હવે માવઠું થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી.આ માવઠાની આગાહીથી ગુજરાતના ખેડૂતો ચિંતિત બન્યા હતા. જોકે, હવે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. હવામાન વિભાગે આજે આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવનારા સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે આજે જણાવ્યું છે કે, પહેલા જે બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી હતી તેની શક્યતા ઓછી થઈ ગઈ છે. જે અંગે તમને અપડેટ કરતા રહીશું.

આગામી 24 કલાકમાં અમદાવાદનું આકાશ સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમણે ઠંડી અંગે એમ પણ જણાવ્યું છે કે, હજી શિયાળો ગયો નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, તે આવ્યા બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. હજી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતા છે.

Related Posts

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી

રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્ય પ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.…

ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં મોટા પાયે પ્રમોશન: તલાટી વર્ગ 3 અને કારકૂન કર્મચારીઓની એકસાથે બઢતી

ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે અંદાજે 800 કર્મચારીઓને એકસાથે પ્રમોશન આપ્યું છે. આ સાથે, 80 નાયબ મામલતદારોને વિવિધ જિલ્લાઓમાં બદલીના ઓર્ડર પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *