વૃદ્ધો માટે હોમ વોટિંગ સુવિધાને લઇને આમ આદમી પાર્ટીએ ભાજપ અને ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણી આડે બહુ દિવસો બાકી નથી. દરમિયાન, દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીએ હોમ વોટિંગ વિકલ્પ પ્રક્રિયાને લઇને ભાજપ સહિત ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને લોકોના મતાધિકારને છીનવી રહી છે. રવિવારે વૃદ્ધોના ઘરે જઇને તેમનું મતદાન કરાવવા દરમ્યાન ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ભાજપના કાર્યકરો પણ હાજર હતા. ચૂંટણી પંચ હવે ખુલીને ભાજપ સાથે જોવા મળી રહ્યું છે. ભારતીય લોકશાહી માટે આ ખૂબ જ ખતરનાક છે. ચૂંટણી પંચે પણ AAPના આરોપોનો જવાબ આપ્યો છે.આમ આદમી પાર્ટીના પ્રશ્નોના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું, “સામાન્ય ચૂંટણી 2024ની જેમ, ભારતીય ચૂંટણી પંચ (ECI) એ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં ચોક્કસ જૂથોના મતદારોની પહોંચ વધારવા માટે ઘરેલું મતદાનની સુવિધાનો પ્રસ્તાવ મૂક્યો છે.” 85 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ વ્યક્તિઓ (PwD)ને મતદાનની સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે આ પહેલ શરૂ કરવામાં આવી છે.

-> સુવિધા માટે, 12D અરજી ફોર્મ ભરવાનું રહેશે :- ચૂંટણી પંચે કહ્યું કે, “આ સુવિધા માટે લાયક મતદારોએ ઘરેલુ મતદાન સુવિધા માટે અરજી કરવા ફોર્મ 12D ભરવાનું રહેશે. અત્યાર સુધીમાં, દિલ્હી માટે 85+ વરિષ્ઠ નાગરિકો તરફથી 6447 અરજીઓ અને 1058 અશક્ત મતદારો તરફથી અરજીઓ મળી છે. અત્યાર સુધીમાં લગભગ 1271 વરિષ્ઠ નાગરિકો અને 120 વિકલાંગ મતદારોએ તેમના મતદાન અધિકારનો ઉપયોગ કર્યો છે. આવેદન મંજુરી થયા બાદ ચૂંટણી અધિકારી અને સુરક્ષાકર્મીઓ સહિતની ટીમ સત્તાવાર મતદાન દિવસ પહેલા મતદાતાના ઘરે જશે અને તેમની પાસે મતદાન કરાવશે. ભાજપના કાર્યકર ચૂંટણી પંચની ટીમ સાથે હોવાના આક્ષેપ પર, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે, “સમગ્ર પ્રક્રિયા અને રૂટ પ્લાન વિધાનસભા મતવિસ્તારના તમામ ઉમેદવારો સાથે શેર કરવામાં આવશે અને ઉમેદવારો અથવા તેમના અધિકૃત પ્રતિનિધિઓ મતદાન ટીમની સાથે રહેશે. “ટીમ મતદારને એક બેલેટ પેપર આપશે અને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તેની ખાતરી કરશે.

-> હોમ વોટિંગ વિકલ્પ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે :- ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે મતદારો આ હોમ વોટિંગ સુવિધા પસંદ કરશે તેમને ચૂંટણીના દિવસે મતદાન મથક પર મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ હોમ વોટિંગ વિકલ્પ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે. વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ વ્યક્તિઓ સરળતાથી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે સુનિશ્ચિત કરીને, આ પહેલ સમાવેશી મતદાન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.”

Related Posts

શિક્ષણક્ષેત્રે નર્મદા જીલ્લા ની મોટી સિદ્ધી 92% બાળકો ને મળ્યો પુનઃપ્રવેશ…

શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લાની વધુ એક મોટી સિદ્ધિ: 92% ડ્રોપઆઉટ બાળકોને શાળામાં પુનઃપ્રવેશ, રાજ્યમાં પ્રથમ શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લામાં 4,224 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાયો. 92% ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ બન્યો. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે નર્મદા જિલ્લાએ ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લામાં શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા કુલ 4,224 વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ સાથે નર્મદા જિલ્લાએ 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.આ સિદ્ધિ નર્મદા જિલ્લા માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલાં ધોરણ-10ના પરિણામમાં પણ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હવે વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ વ્યવસ્થામાં જોડવાની કામગીરીમાં પણ નર્મદા જિલ્લાએ આગવું સ્થાન મેળવ્યું…

અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી જાણો સમગ્ર જાણકારી… 2026 ,

અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી: શહીદો અને વિસ્થાપિત પરિવારોને શ્રદ્ધાંજલિ, એકતા-અખંડિતતાનો સંકલ્પ  અમરેલીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ કાર્યક્રમ યોજાયો. વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો સંકલ્પ લેવાયો. અમરેલીમાં 14 ઓગસ્ટ, 2026ના રોજ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 1947ના ભારતના વિભાજન દરમિયાન પીડિત બનેલા લાખો નિર્દોષ લોકો અને વિસ્થાપિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં દેશની એકતા, અખંડિતતા અને ભાઈચારો જાળવી રાખવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો. અમરેલીમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વિભાજનના પીડિતો અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *