બોલિવૂડ સુંદરી ‘સાધ્વી’ બની: મમતા કુલકર્ણીએ મહાકુંભમાં ‘સન્યાસ’ લીધો; તે કિન્નર અખાડાના મહામંડલેશ્વર બન્યા.

‘કરણ અર્જુન’, ‘બાઝી’ અને ‘ચાઇના ગેટ’ જેવી ફિલ્મોમાં અભિનય કરનાર 90ના દાયકાની પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણી આધ્યાત્મિક યાત્રા પર નીકળી ગઈ છે. તેણે પોતાની ગ્લેમરસ દુનિયા છોડી દીધી છે અને ‘સન્યાસ’ લીધો છે. મહાકુંભમાં કિન્નર અખાડામાં આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પાસેથી આશીર્વાદ લઈને તે સાધ્વી બની છે. ૨૪ જાન્યુઆરીના રોજ મહાકુંભમાં મમતા કુલકર્ણીને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા છે. હવે તે ‘યમાઈ મમતા નંદ ગિરિ’ તરીકે ઓળખાશે.તેની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે સાધ્વીના રૂપમાં જોવા મળી રહી છે.

કિન્નર અખાડા પહોંચ્યા પછી, તે સાધ્વીના વેશમાં, ભગવા વસ્ત્રો અને રુદ્રાક્ષની માળા પહેરેલી જોવા મળી. તેમણે શુક્રવારે પ્રયાગરાજમાં સંગમ નદીમાં પિંડદાન પણ કર્યું હતું. મહામંડલેશ્વર બન્યા પછી, તેમનો અભિષેક કરવામાં આવશે.અગાઉ, અભિનેત્રીમાંથી સંન્યાસીનું જીવન અપનાવનાર મમતા કુલકર્ણીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે તે પ્રયાગરાજ જશે અને મહાકુંભમાં તેના માતાપિતાના પિતૃ તર્પણ કરશે. તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ બાયોમાં પોતાનું નામ બદલીને ‘મહાત્યાગી સાધ્વી’ રાખ્યું છે.

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *