રાજકોટનાં બેડી માર્કેટિંગ યાર્ડમાં સાંજ પડતાં સન્નાટો! કારણ સાંભળીને તમે પણ ચોકી જશો

B INDIA રાજકોટ : રાજકોટ શહેરનું બેડી માર્કેટિંગ યાર્ડ દિવસભર ધમધમતું રહે છે. પરંતું આ જ માર્કેટિંગ યાર્ડમાં સાંજ પડતાની સાથે જ સન્નાટો છવાઈ જાય છે. અહીંયા સન્નાટો છવાઈ જવાનું કારણ ચોંકાવનારું છે. બેડી માર્કેટિંગ યાર્ડ આજી નદીના કાંઠે આવેલું છે. આ આજી નદીમાં 50 જેટલા ઊંચા દેખાતા મચ્છરોના ફુવારા છે. કદાચ તમે આગાઉ ક્યારેય મચ્છરોના ફુવારા જોયા નહીં હોય. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં સાંજ પડતાની સાથે જ મચ્છરોનો અસહ્ય ત્રાસ સર્જાય છે. મચ્છરોના આ ત્રાસથી બચવા માટે વેપારી તેમના વેપાર ધંધા મૂકીને ઘરે નીકળી જાય છે. આવું અમે નહીં પરંતુ ખુદ ત્યાંના વેપારી કહી રહ્યા છે.વેપારીઓનાં જણાવ્યા અનુસાર, “સાંજના સમયે અધિકારીઓ માત્ર 10 જ મિનિટ અહીંયા ઊભા રહીને બતાવે.

અહીંયા મહાનગરપાલિકાના અધિકારીઓ આવે તો તેમને ખબર પડે કે ગાંડીવેલ દૂર કરવી કેટલી જરૂરી છે.”વેપારી જ નહિ અહીંયા કામ કરતા શ્રમિકો પણ કહે છે કે, “તેઓ કોઈ સંજોગોમાં અહીંયા રહી શકે એમ નથી. મચ્છરો ઉપદ્રવ એટલો બધો વ્યાપી ગયો છે કે, તેમના માટે અહીં રહેવું જ મુશ્કેલ છે.”આ માર્કેટિંગ યાર્ડ દિવસભર ભલે ખેડૂતોથી ભરેલું રહેતું હોય પરંતુ અહીંયા સાંજના સમયે ખેડૂતો જોવા પણ નથી મળતા. વેપારીઓનું કહેવું છે કે, “ખેડૂતો પોતાનો પાક ઉતારીને જતા રહે છે. અહીંયા રહી શકે એવી સ્થિતિ જ નથી હોતી.” તો બીજી તરફ અહીંયા સાંજના સમયે જે પણ દુકાનો ખુલી હતી.

તેઓએ પોતાની દુકાન આગળ કોઈને કોઈ વસ્તુથી ધુમાડો કરવો પડતો હતો. મહત્વનું છે કે, યાર્ડમાં મચ્છરોના ઉપદ્રવ થવા પાછળનું યાર્ડની બાજુમાં જ આવેલી આજી નદી પર પથરાયેલી ગાંડીવેલ છે. આ વેલને હટાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મશીન પણ વસાવવામાં આવ્યું છે. પરંતુ તે ધૂળ ખાઈ રહ્યું છે અને માર્કેટિંગ યાર્ડમાં વગર વાંકે વેપારીઓ ધુમાડો ખાઈ રહ્યા છે. નોંધનીય છે કે, મચ્છરોના ત્રાસના કારણે 2020ના શરૂઆતના મહિનામાં આંદોલન પણ થયા હતા. તે સમયે બેડી માર્કેટિંગ યાર્ડ અનેક દિવસો સુધી બંધ પણ રહ્યું હતું.

Related Posts

2027 : વસ્તી ગણતરી: પહાડી વિસ્તારોમાં ૧ સપ્ટેમ્બરથી ડિજિટલ જનગણના શરૂ Grand Launch

2027 વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર: પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે ડિજિટલ જનગણના  કેન્દ્ર સરકારે 2027ની વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી ડિજિટલ માધ્યમથી જનગણનાની કામગીરી શરૂ થશે. જાણો સંપૂર્ણ માહિતી. કેન્દ્ર સરકારે દેશભરમાં યોજાનારી 2027ની વસ્તી ગણતરી (Census 2027) માટેનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે વસ્તી ગણતરીને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે ડિજિટલ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સરકારના આયોજન મુજબ 1 સપ્ટેમ્બરથી પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ થશે, જ્યારે ત્યારબાદ દેશના અન્ય રાજ્યો અને શહેરોમાં પણ તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દેશના વિકાસ, નીતિ નિર્માણ અને સરકારી યોજનાઓના અમલીકરણ માટે વસ્તી ગણતરી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ વખતે ડિજિટલ માધ્યમથી…

કાવડ યાત્રા 2026 : Royal Welcome for Shiva Devotees: યોગી સરકારનું મોટું આયોજન: શ્રાવણ માસમાં કાવડિયાઓ પર હેલિકોપ્ટરથી થશે ફૂલોની વર્ષા!

ઉત્તર પ્રદેશ સરકારે શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાને લઈને વિશેષ આયોજન કર્યું છે. કાવડિયાઓ પર હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા, કડક સુરક્ષા, આરોગ્ય સેવાઓ અને વિવિધ સુવિધાઓની સંપૂર્ણ માહિતી વાંચો. શ્રાવણ માસમાં કાવડ યાત્રા માટે ઉત્તર પ્રદેશ સરકારનું ભવ્ય આયોજન શ્રાવણ માસ હિંદુ ધર્મમાં ભગવાન શિવની આરાધના માટે સૌથી પવિત્ર સમયગાળામાંનો એક માનવામાં આવે છે. આ મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાંથી ગંગાજળ ભરી કાવડ યાત્રા કરીને પોતાના નજીકના શિવ મંદિરોમાં જળાભિષેક કરે છે. આ યાત્રા માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ શ્રદ્ધા, સમર્પણ અને આધ્યાત્મિક ભાવનાનું પ્રતિક પણ છે. આ વર્ષે ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાને વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. તેમાં સૌથી વિશેષ આયોજન તરીકે પસંદ કરાયેલા માર્ગો પર હેલિકોપ્ટર દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *