શપથ લીધા બાદ તુરંત ટ્રમ્પે કહી એવી વાત, ભારત સહિત 11 દેશોમાં મચી ગયો ખળભળાટ

શપથ લીધા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે 47માં રાષ્ટ્રપતિ તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની કમાન સંભાળી છે. ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત રાષ્ટ્રપતિની કમાન સંભાળતાની સાથે જ કાર્યવાહી શરૂ કરી દીધી છે. આગામી વર્ષોમાં અમેરિકાનું વલણ કેવું રહેશે તેની ઝલક ટ્રમ્પે સમગ્ર વિશ્વને આપી છે.સત્તા સંભાળતાની સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા 1 ફેબ્રુઆરીથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદશે. આ આદેશ બાદ તેમણે કંઈક એવું કહ્યું જેનાથી એક સાથે 11 દેશોમાં ખળભળાટ મચી ગયો. આ દેશોમાં ભારત અને ચીનના નામ સામેલ છે.

-> ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને ખુલ્લેઆમ ધમકી આપી હતી :- હકીકતમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને ખુલ્લેઆમ ચીમકી આપી છે. સોમવારના રોજ શપથ લેતાની સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે સ્પેન સહિત બ્રિક્સ દેશો પર 100% ટેરિફ લાદી શકાય છે. ઉલ્લેખનીય છે કે હાલમાં બ્રિક્સમાં 10 દેશો સામેલ છે. જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. સ્પેન બ્રિક્સનો ભાગ નથી. આમ છતાં સ્પેન ડોનાલ્ડ ટ્રમ્પના રડાર પર છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ બ્રિક્સ દેશો પર 100 ટેરિફ લાદવાનો સંકેત આપ્યો હતો. જોકે આ માટે તેમણે એક શરત પણ મૂકી હતી.

-> શપથ લીધા બાદ ટ્રમ્પે વારંવાર ચીમકી આપી હતી :- રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની જૂની ચીમકીને દોહરાવી છે. બ્રિક્સ દેશોને ચીમકી આપતાં તેમણે કહ્યું કે જો બ્રિક્સ દેશો અમેરિકા વિરોધી નીતિઓ લઈને આવશે તો તેમણે તેના પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. ટ્રમ્પે ડિસેમ્બર 2024માં કહ્યું હતું કે, “જો બ્રિક્સ દેશો યુએસ ડોલરને નબળો પાડવાના પ્રયાસમાં નવી કરન્સી બનાવે છે અથવા ડોલર સામે અન્ય કોઈ ચલણને સમર્થન આપે છે, તો યુએસ તે બધા પર 100 ટકા ટેરિફ લાદશે અને યુએસમાં આયાત કરશે. તમારે તમારી સામગ્રી વેચવા માટે ગુડબાય કહેવું પડશે. એવી કોઈ શક્યતા નથી કે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રિક્સ યુએસ ડોલરનું સ્થાન લેશે.”જો ટ્રમ્પની ચીમકી સાચી સાબિત થશે તો બ્રિક્સ દેશો માટે તે મોટી સમસ્યા સાબિત થશે.

 

Related Posts

અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટર મિહિર પટેલના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર…

જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર’માં જણાવ્યું હતું કે આજે જેતલપુર ધામની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થયાં છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *