દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 981 ઉમેદવારો દ્વારા 1521 નામાંકન પત્રો દાખલ

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે નામાંકન માટેની છેલ્લી તારીખ 17 જાન્યુઆરીએ સમાપ્ત થઈ ચૂકી છે. નામાંકન સમાપ્ત થાય ત્યાં સુધીમાં, 70 વિધાનસભા બેઠકો માટે 981 ઉમેદવારો દ્વારા કુલ 1,521 નામાંકન પત્રો દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 17 જાન્યુઆરીએ જ 680 ઉમેદવારી પત્રો દાખલ થયા હતા.ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી આજે થશે. જ્યારે ઉમેદવારો દ્વારા નામ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 20
જાન્યુઆરી છે.

-> નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ ઉમેદવારી પત્રો :- દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 હેઠળ, નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં કુલ 29 ઉમેદવારોએ 40 ઉમેદવારી પત્રો ભર્યા છે. આપને જણાવી દઈએ કે નવી દિલ્હી બેઠક પરથી આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ ચૂંટણી મેદાનમાં છે, જેમની સામે ભાજપના પરવેશ સાહિબ સિંહ વર્મા અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત ઉમેદવાર છે.

-> કસ્તુરબા નગર વિધાનસભા બેઠક પરથી સૌથી ઓછા ઉમેદવારી પત્રો :- કસ્તુરબા નગર વિધાનસભા બેઠક પરથી સૌથી ઓછા ઉમેદવારી પત્રો દાખલ થયા છે. કસ્તુરબા નગર વિધાનસભા ક્ષેત્રમાં કુલ 6 ઉમેદવારોએ 9 ઉમેદવારી પત્રો ભર્યા છે.દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બધી બેઠકો પર એકલા લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની બે બેઠકો NDAના સાથી પક્ષ JDU અને LJP રામવિલાસને આપી છે. NDA ક્વોટા હેઠળ, દિલ્હીની બુરારી બેઠક JDU ને અને દેવલી બેઠક LJP રામવિલાસ ને આપવામાં આવી છે.મહત્વનું છે કે દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે મતદાન 5 ફેબ્રુઆરીએ થશે. જ્યારે ચૂંટણીના પરિણામો ૮ ફેબ્રુઆરીએ આવશે.

Related Posts

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *