ભરશિયાળે ડાંગ જિલ્લામાં વરસ્યો વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

ડાંગ જિલ્લામાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે વાતાવરણમાં પલટો આવ્યો છે. ડાંગ જિલ્લાના ચીંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. છેલ્લા ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. શિયાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતા વધી છે.હાલ કાતિલ ઠંડા પવનોની વચ્ચે અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સાપુતારા સહિત જોવાલાયક સ્થળોએ રમણીય દૃશ્યો સર્જાઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ચિંતા છવાઈ છે.

આજે વહેલી સવારે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોનાં શિયાળુ ઉભા પાક સહિત ફળફળાદી તથા શાકભાજી જેવા પાકોને જંગી નુકસાનની ભીતિ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં પાંચ દિવસ હવામાન શુષ્ક રહે તેવું જણાવ્યું હતું. આ સાથે તેમણે બે દિવસ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની આગાહી કરવામાં આવી છે.તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે, આગામી દિવસોમાં 2-3 દિવસની રાહત મળવાની શક્યતાઓ વ્યક્ત કરી છે,

જોકે, આ દરમિયાન પણ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોના સંકેત દેખાતા નથી તેવું તેમણે જણાવ્યું છે. સામાન્ય રીતે 15મી જાન્યુઆરીથી તાપમાન વધવાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ઠંડી લાંબી ચાલી શકે છે. 18 જાન્યુઆરીથી ઠંડીમાં આંશિક રાહત મળવાની શક્યતાઓ છે. જેમાં લઘુત્તમ તાપમાન 1-2 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *