IPL 2025 : પંજાબ કિંગ્સ દ્વારા નવા કેપ્ટનની જાહેરાત, શ્રેયસ અય્યરને સોંપવામાં આવી જવાબદારી

આઈપીએલ 2025 પહેલા પંજાબ કિંગ્સે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સની કમાન સોંપવામાં આવી છે. ગત્ત સીઝનમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શિખર ધવન હતો. હવે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની આગામી સિઝન 21 માર્ચથી શરૂ થશે. BCCIની (AGM) બાદ BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ શેડ્યૂલને લઈને આ મહત્વપૂર્ણ માહિતી આપી છે.શ્રેયસ અય્યર પાસે પહેલાથી જ કેપ્ટનશીપનો અનુભવ છે. તે બોલિંગ પણ સારી કરે છે. તેની કેપ્ટનશીપમાં ગત્ત સીઝનમાં કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ખિતાબ જીત્યો હતો. પરંતુ ત્યારબાદ તેને કેકેઆરની ટીમે રિટેન કર્યો નહિ,KKRની ટીમ પહેલા અય્યર દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ સંભાળી ચૂક્યો છે.તેની કેપ્ટનશીપમાં દિલ્હીની ટીમે આઈપીએલ ફાઈનલમાં સ્થાન બનાવ્યું હતુ.

પંજાબ કિંગ્સની ટીમ વર્ષ 2008થી આઈપીએલમાં ભાગ લઈ રહી છે પરંતુ ટીમ એક વખત પણ ખિતાબ જીતી શકી નથી. આ વખતે પંજાબ કિંગ્સે ટ્રોફી જીતવા માટે આઈપીએલ 2025 મેગા ઓક્શનમાં શ્રેયસ અય્યરને 26.75 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. ત્યારથી લોકોને લાગી રહ્યું હતુ કે, તે પંજાબ કિંગ્સનો કેપ્ટન બનશે. શ્રેયસ અય્યરે અત્યારસુધી આઈપીએલની 70 મેચમાં કેપ્ટનશીપ કરી છે. જેમાં તેમણે 38 મેચ જીતી છે અને 29 મેચમાં હાર મળી છે. અય્યર આઈપીએલનો પહેલો એવો કેપ્ટન છે. જેમણે 2 ટીમ દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઈટરાઈડર્સની પોતાની કેપ્ટનશીપમાં ફાઈનલમાં લઈ જઈ ચૂક્યો છે.હવે તેની પાસે જે અનુભવ છે તે પંજાબ કિંગ્સને કામ આવી શકે છે.

Related Posts

વંદે ભારત ટ્રેને રચ્યો ઇતિહાસ: સુરતથી અમદાવાદ માત્ર આટલા સમયમાં થયું જીવંત હૃદયનું સફળ પરિવહન 2026 : Success

વંદે ભારત એક્સપ્રેસે રચ્યો ઇતિહાસ: પ્રથમ વખત જીવંત હૃદયનું સફળ પરિવહન, સુરતથી અમદાવાદ સુધી સમય સામેની જંગમાં મોટી સિદ્ધિ ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ: વંદે ભારત એક્સપ્રેસ મારફતે પ્રથમ વખત જીવંત હૃદયનું સફળ પરિવહન, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ અમદાવાદ  ભારતીય રેલવેએ પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદયનું સફળ પરિવહન કર્યું. RPF, ગુજરાત પોલીસ અને તબીબી ટીમના ગ્રીન કોરિડોરથી હૃદય સમયસર યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ પહોંચાડાયું. ભારતીય રેલવેએ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરીને દેશના પરિવહન ઈતિહાસમાં નવું પાનું ઉમેર્યું છે. પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા **જીવંત હૃદય (Live Heart)**નું સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું છે. સુરતથી અમદાવાદ સુધી આ જીવનરક્ષક અંગને સમયસર અને સંપૂર્ણ સુરક્ષા સાથે પહોંચાડવામાં આવ્યું, જેના આધારે…

ભારતમાં મોબાઇલ નિકાસમાં 165 ગણો જંગી ઉછાળો, આંકડો ₹2.59 લાખ કરોડ પાર Growth

મોબાઇલ નિકાસમાં ભારતનો મોટો ઉછાળો: એક દાયકામાં નિકાસ 165 ગણી વધી, ₹2.59 લાખ કરોડનો આંકડો પાર કેન્દ્ર સરકારના આંકડા મુજબ ભારતની મોબાઇલ ફોન નિકાસમાં છેલ્લા એક દાયકામાં જંગી વધારો થયો છે. મોબાઇલ નિકાસ 165 ગણી વધીને ₹2.59 લાખ કરોડ સુધી પહોંચી છે. જાણો મેન્યુફેક્ચરિંગ, રોજગાર અને ‘મેક ઇન ઇન્ડિયા’ માટે તેનો અર્થ. નવી દિલ્હી: ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ છેલ્લા એક દાયકામાં ભારતની મોબાઇલ ફોન નિકાસમાં આશરે 165 ગણો વધારો થયો છે અને તે ₹2.59 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. મોબાઇલ ઉત્પાદન ક્ષેત્રમાં થયેલો આ ઝડપી વિકાસ ભારતની બદલાતી ઔદ્યોગિક ક્ષમતા અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં દેશની વધતી ભૂમિકા તરફ સંકેત કરે છે. એક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *