કચ્છના લખપતમાં પાકિસ્તાની ઘૂષણખોર ઝડપાયો, બીએસએફ પેટ્રોલિંગ દરમિયાન પકડી પાડ્યો

B india કચ્છ :- કચ્છના લખપતમાં પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો છે. ઘૂસણખોર ભારતીય સરહદમાં 100 મીટર અંદર ઘૂસી આવ્યો હતો. પિલર નંબર 1139 પાસેથી પકડાયેલા ઘૂસણખોરની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. વધુ તપાસ માટે તેને પોલીસને સોંપવામાં આવશે. આ ઘટનાથી સરહદ સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

-> ભારતીય સીમામાં 100 મીટર અંદર ઘુસી ગયો :- કચ્છમાં લખપત સરહદ પાસેથી એક ઘુષણખોર ઝડપાઈ ચુક્યો છે. બીએસએફ પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાનીને ઝડપી લીધો છે. પિલર નંબર 1139 નજીકથી તેને પકડી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ નથી જણાઈ રહ્યું. વધુ તપાસ માટે પોલીસને તેને સુપરત કરાશે.

પાકિસ્તાની ઘૂસણખોર ભારતીય સીમામાં 100 મીટર અંદર ઘુસી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હાલ તો કશું જ શંકાસ્પદ નથી લાગ્યું. પરંતુ તે અહીં કયા ઈરાદે આવ્યો હતો? શા માટે ઘુષણખોરી કરી રહ્યો હતો અને તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? આ તમામ સવાલો એવા છે કે જેની તપાસ થવી જરૂરી છે. ઘણા લાંબા સમય બાદ સરહદ પરથી પાકિસ્તાની ઘુષણખોરો પકડાયો છે. સામાન્ય રીતે દરિયાઈ વિસ્તાર છે ત્યાં ઘુષણખોરો પકડાતા હોય છે. કેમ કે મોટાભાગના વિસ્તારોમાં ફેન્સીંગ છે તેનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

Related Posts

અમદાવાદના પૂર અસરગ્રસ્ત વેપારીઓ માટે સરકારનું રાહત પેકેજ: જાણો કોને કેટલી સહાય મળશે

જુલાઈ 2026 દરમિયાન અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિએ વેપારીઓ, લારી-રેકડી ધારકો, કેબિન સંચાલકો તેમજ નાના-મોટા દુકાનદારોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. અનેક ધંધાર્થીઓની દુકાનો, વેપારનું સાધન-સામાન અને રોજગારના માધ્યમોને નુકસાન થતાં તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પૂર અસરગ્રસ્ત વેપારીઓના પુનર્વસન અને ધંધાને ફરી શરૂ કરવામાં મદદરૂપ થવા માટે વિશેષ ‘આર્થિક અને પુનઃવસન સહાય પેકેજ’ જાહેર કર્યું છે. બે પ્રકારની સહાયનો લાભ મળશે ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ મુજબ અસરગ્રસ્ત વેપારીઓને મુખ્યત્વે બે પ્રકારની રાહત આપવામાં આવશે. પ્રથમ, નુકસાનના પ્રકાર અને ધંધાના માળખા પ્રમાણે ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. જ્યારે પાકી દુકાન ધરાવતા પાત્ર વેપારીઓ માટે બીજી વ્યવસ્થા તરીકે બેંકની ટર્મ લોન…

HAR GHAR TIRANGA National Pride 2026: ચકલાસીમાં “ભારત માતા કી જય”ના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રા

હર ઘર તિરંગા અભિયાન 2026: ચકલાસીમાં ભવ્ય તિરંગા યાત્રા, 1,370 નાગરિકો જોડાયા TIRANGA: હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં 1,370 જેટલા નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લીધો. દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને જનજન સુધી પહોંચાડવાના હેતુથી દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી તથા મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં અંદાજે 1,370 જેટલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *