જસપ્રીત બુમરાહ પાકિસ્તાન સામેની મેચમાં રમી શકશે નહીં?, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઇન્ડિયાને ઝટકો

20 ફેબ્રુઆરીથી ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ શરૂ કરશે. આ મેચમાં ટીમ જસપ્રીત બુમરાહની સેવાઓ મેળવી શકશે નહીં. કારણ કે તેની પીઠમાં સોજો આવી ગયો છે અને તેને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં લઈ જવામાં આવી રહ્યો છે. બુમરાહ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજની મેચોમાંથી બહાર છે.આ શાનદાર ઝડપી બોલરને ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટ દરમિયાન પીઠમાં ઈજા થઈ હતી. જેના કારણે તેને સ્કેન કરાવવા માટે મેચની વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ છોડવું પડ્યું હતું.

જોકે, બુમરાહની ઈજાની ગંભીરતાને લઈને સસ્પેન્સ હતું. હવે ઘણું બધું સ્પષ્ટ થઈ ગયું છે.બુમરાહ માર્ચના પ્રથમ સપ્તાહમાં જ ફિટ થવાની અપેક્ષા છે, જેનો અર્થ છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજની મેચોમાંથી બહાર થઈ જશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમમાં જોડાવા માટે NCA તરફથી ફિટનેસ ક્લિયરન્સ મેળવતા પહેલા બુમરાહે બે કે ત્રણ પ્રેક્ટિસ મેચ રમવી પડશે.

જો કે, એવી અટકળો ચાલી રહી છે કે શું બુમરાહ પાકિસ્તાન સામેની મેચમાં રમી શકશે નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાવાની છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બુમરાહને સંપૂર્ણ સ્વસ્થ થવામાં માર્ચના પહેલા અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે, તેનો સીધો અર્થ એ છે કે 22 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેની મેચમાં બુમરાહ ભારતીય ટીમનો ભાગ બની શકશે નહીં.

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *