ઉત્તરાયણમાં પવન અને ઠંડી હશે કે નહીં ? જાણો શું કહ્યું, હવામાન વિભાગે,…

દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ઉત્તર દિશા તરફથી ઠંડા-સૂકા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે. હાલ ગુજરાતમાં પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફની થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાનમાં એકથી લઈ પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. જેના કારણે મોડી રાત્રીથી વહેલી પરોઢ સુધી કાતિલ ઠંડી વર્તાઈ હતી. ત્યારે હવામાન વિભાગે ઉત્તરાયણમાં અને તે પહેલા ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે.

-> કેવું રહેશે ગુજરાતનું હવામાન :- ગુજરાતમાં ઠંડી, માવઠું અને પવન અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી 48 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે. જે બાદ ફરીથી બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. હવામાન વિભાગે આ અંગે વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે, ગુજરાતમાં પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ થઈ ગઈ છે. આ સાથે તેમણે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે આવે છે ત્યારે પહેલા તાપમાન વધે છે અને તે બાદ તાપમાનમાં ઘટાડો નોંધાય છે. 10મી તારીખે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે તાપમાન ઊંચુ જોવા મળશે. જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે.

-> ઉત્તરાયણના દિવસે ભારે પવન ફૂંકાશે :- હવામાન વિભાગના એ. કે. દાસે ઉત્તરાયણના દિવસની આગાહી કરતા જણાવ્યું કે, 14મી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના દિવસે ઠંડીનો અનુભવ થશે. 14 જાન્યુઆરીના પ્રતિકલાકે 10થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની આગાહી પણ છે. જેને લઈને પતંગ રસિકોને પરેશાન નહીં થવું પડે. હવામાન સારુ રહેવાના કારણે પતંગ રસિકોમાં ઉત્સાહનો માહોલ છે

Related Posts

ગુરુપૂર્ણિમા: સીએમ ભૂપેન્દ્ર પટેલ લુસડિયા ધામ પહોંચ્યા, સંતોના આશીર્વાદ લીધા : 2026 Spiritual

ગુરુપૂર્ણિમાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લુસડિયા ધામ પહોંચ્યા: સંત સુરમલદાસજીની સમાધિના દર્શન કરી સંતોનું સન્માન, આદિજાતિ સમાજ સાથે ઉજવ્યો પાવન ઉત્સવ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના…

લાલ, પીળો અને લીલો જ કેમ? ટ્રાફિક સિગ્નલના કલર્સ પાછળનું અસલી વૈજ્ઞાનિક કારણ 1 Shocking

ટ્રાફિક સિગ્નલમાં લાલ, પીળો અને લીલો રંગ જ કેમ હોય છે? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ ટ્રાફિક સિગ્નલમાં લાલ, પીળો અને લીલો રંગ જ કેમ હોય છે? જાણો તેની પાછળનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *