અરવલ્લીમાં નકલી ASIનો પર્દાફાશ, નોકરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યાનો આરોપ

અરવલ્લીના બાયડના આંબલીયારાના યુવકનું કારસ્તાન સામે આવતા જ લોકો દંગ રહી ગયા હતા. આંબવીયારામાં નકલી આસીસ્ટન્ટ સબ ઈન્સપેકટર બની છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે. નિમેષ ચૌહાણ નામનો યુવક પોલીસ યુનિફોર્મ પહેરી ASI તરીકે ઓળખાણ આપી હતી. નોકરીની લાલચ આપી યુવાનો પાસેથી રુપિયા પડાવ્યા હતા.

-> નોકરીની લાલચ આપી કરી છેતરપિંડી :- યુવાનોનું ગાંધીનગરના તાલીમ ક્લાસમાં એડમિશન કરાવી પોલીસમાં નોકરીની લાલચ આપી હતી. પોતાના પિતા પણ ગુજરાત પોલીસમાં હોવાનો નકલી ASIએ દાવો કર્યો હતો. યુવાનોને ભરમાવીને પોતાના પિતા સાથે વાત કરાવતો હતો.

-> નકલી ASIએ 13.50 લાખ પડાવ્યાનો આક્ષેપ :- આ નકલી ASI 6 અલગ – અલગ યુવાનો સાથે છેતરપિંડી કરી કુલ 13.50 લાખ પડાવ્યા હતા. બાયડ પોલીસે પુત્ર નિમેષ ચૌહાણ, પિતા અશોક ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે અન્ય કૌભાંડ પણ સામે આવે તો નવાઈ નહીં..

Related Posts

લાઠીચાર્જ : ઝારખંડમાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ: પૂર્વ પરીક્ષા વડાની ધરપકડથી હંગામો, જાણો સમગ્ર મામલો, Fierce Protest

ઝારખંડમાં વિવિધ માંગણીઓને લઈને પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના અહેવાલો વચ્ચે પૂર્વ પરીક્ષા વડાની ધરપકડથી મામલો ગરમાયો છે. જાણો સમગ્ર ઘટનાક્રમ. ઝારખંડમાં પરીક્ષા અને ભરતી પ્રક્રિયાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજકીય અને વહીવટી માહોલ ગરમાયો છે. વિવિધ માંગણીઓને લઈને રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. બીજી તરફ, આ સમગ્ર મામલા સાથે જોડાયેલા પૂર્વ પરીક્ષા વડાની ધરપકડ કરવામાં આવતાં વિવાદે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રદર્શનકારીઓ દ્વારા પરીક્ષા પ્રક્રિયા, પરિણામો અને ભરતી સંબંધિત મુદ્દાઓને લઈને પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થિતિ વણસતી જતાં પોલીસ…

Patriotic Fervor In Gujarat Capital : વિકસિત ભારત 2047 માટે ‘રાષ્ટ્ર પ્રથમ’ National Pride નો સંકલ્પ

Gujarat ગાંધીનગરમાં રાજ્યકક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો. ‘હર ઘર તિરંગા’ને ‘હર દિલ તિરંગા’નું જન આંદોલન બનાવવા મુખ્યમંત્રીનું આહવાન. ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા પ્રત્યે દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવવાના હેતુથી ગાંધીનગરમાં રાજ્યકક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આ વિશાળ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનને ‘હર દિલ તિરંગા’નું જન આંદોલન બનાવવા દેશવાસીઓને આહવાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં 9થી 17 ઓગસ્ટ દરમિયાન તિરંગા યાત્રા સહિત વિવિધ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ સ્વતંત્રતાના અમૂલ્ય વારસાને યાદ કરવાનો, સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને નમન કરવાનો અને નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. ગાંધીનગરમાં દેશભક્તિનો માહોલ ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *