જો લવયાપા હિટ થઈ…’ આમિર ખાને પુત્ર જુનૈદની ફિલ્મ માટે કરી ઈચ્છા, પૂરી થયા બાદ કરશે આ કામ

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન ખૂબ જ જલ્દી બોની કપૂરની ડાર્લિંગ ખુશી કપૂર સાથે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મનું નામ છે Lavayapa અને તે સિનેમાઘરોમાં રિલીઝ થશે.આ એક આધુનિક યુગની રોમેન્ટિક ફિલ્મ છે જેનું લેટેસ્ટ ગીત તાજેતરમાં જ રિલીઝ થયું હતું. આ ગીતને વર્ષનું પ્રેમગીત ગણાવવામાં આવી રહ્યું છે. લવયાપાના બીટ્સ અને ગીતો સંપૂર્ણપણે યુવાનો અને જેન-ઝેડને અનુરૂપ છે.

-> આમિર ખાને એક ઈચ્છા કરી છે :- હવે બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને આ ફિલ્મની રિલીઝને લઈને એક ખાસ શરત મૂકી છે. આમિર ખાને કહ્યું છે કે જો જુનૈદની બીજી ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થશે તો તે સ્મોકિંગ છોડી દેશે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, આમિર ખાને લવયાપાની સફળતા માટે પ્રાર્થના કરી છે. જો કે આ અંગે અભિનેતા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ તે જે રીતે જુનૈદ સાથે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે તે જોઈને સ્પષ્ટપણે જણાય છે કે તે ફિલ્મને લઈને આત્મવિશ્વાસ ધરાવે છે.

આમિર ખાને કહ્યું કે તેણે આ ફિલ્મ જોઈ છે અને તેને ખૂબ પસંદ આવી છે. આમિરે જણાવ્યું કે, ફિલ્મની વાર્તા આજના જીવન સાથે જોડાયેલી છે, જે રીતે લોકો પોતાના ફોનમાં મગ્ન રહે છે, ફિલ્મમાં કંઈક એવું જ બતાવવામાં આવ્યું છે. ટેક્નોલોજીના કારણે જીવનમાં જે પરિવર્તનો આવ્યા છે તે ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. અભિનેતાએ કહ્યું કે તેણે ખુશી કપૂરમાં શ્રીદેવીની ઝલક જોઈ. તમામ કલાકારોએ સારું કામ કર્યું છે

-> શ્રીદેવીની એક ઝલક ખુશીમાં જોવા મળી – આમિર :- આમિરે આગળ કહ્યું, ‘જ્યારે મેં ફિલ્મ જોઈ અને ખુશીને જોઈ ત્યારે મને લાગ્યું કે હું શ્રીદેવીને જોઈ રહ્યો છું. તેણીની ઉર્જા ખૂબ સારી છે અને હું શ્રીદેવીનો મોટો ચાહક છું, જેનું નિર્દેશન લાલ સિંહ ચડ્ડા ફેમ અદ્વૈત ચંદન કરે છે. આ ફિલ્મ વેલેન્ટાઈન વીકની શરૂઆતમાં 7 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Related Posts

વિશ્વ સિંહ દિવસ: માનવ હુમલાખોર સિંહો માટે આંબરડીમાં બનશે100 હેક્ટરનું ખાસ ક્ષેત્ર Smart Solution

9 ઓગસ્ટ 2026: ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ અને માનવ-વન્યજીવ સંઘર્ષને ઘટાડવાની દિશામાં રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સુરક્ષિત રીતે રાખવા માટે અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં આશરે 100 હેક્ટર વિસ્તારમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવવામાં આવશે. આ ક્ષેત્રને ફેન્સિંગ કરીને સિંહોને તેમની કુદરતી હેબિટેટને અનુરૂપ વાતાવરણમાં રાખવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

Dasha Maa Vrat Rituals & Puja Vidhi ગુજરાત 2026 : આ વર્ષે વ્રત કઈ તિથિથી શરૂ કરવું? Ultimate Devotion

ગુજરાતમાં શ્રાવણ મહિનો ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના સાથે અનેક દેવી-દેવતાઓના વ્રત અને તહેવારો પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓમાં દશામાના વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે. દશામાના વ્રત દરમિયાન ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક દશામાની પૂજા કરે છે અને પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સંકટોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે. દશામાનું વ્રત ગુજરાતના અનેક પરિવારોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા ઘરોમાં દશામાની સ્થાપના કરવામાં આવે છે અને વ્રત દરમિયાન દરરોજ નિયમિત પૂજા, આરતી અને પ્રસાદ કરવામાં આવે છે. વ્રત પૂર્ણ થયા બાદ દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન ઘરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. દશામાનું વ્રત ક્યારે શરૂ થાય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *