Patanના મુજપુર નજીક આવેલું લોહેશ્વર મહાદેવ ધામ: મહાભારતકાળની ગાથા આજે પણ જીવંત
પાંડવોના વનવાસ સાથે જોડાયેલી છે પૌરાણિક માન્યતા; ભીમસેને શિવલિંગ સ્થાપ્યું હોવાની લોકવાયકા, પાંડવકુંડ અને પાંડવોના પગલાં આસ્થાનું કેન્દ્ર
રિપોર્ટ : અનિલ રામાનુજ, Patan
Patan: ગુજરાતની ધરતી પર અનેક એવા પૌરાણિક અને ધાર્મિક સ્થળો આવેલા છે, જ્યાં આજે પણ પ્રાચીન કથાઓ, લોકમાન્યતાઓ અને ધાર્મિક પરંપરાઓ જીવંત જોવા મળે છે. ઉત્તર ગુજરાતના Patan જિલ્લામાં આવેલા શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ નજીક સ્થિત શ્રી લોહેશ્વર મહાદેવ ધામ પણ આવું જ એક પવિત્ર તીર્થસ્થાન છે. મહાભારતકાળ સાથે જોડાયેલી વિવિધ પ્રચલિત માન્યતાઓને પોતાના હૃદયમાં સાચવીને ઊભેલું આ ધામ વર્ષોથી શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ભક્તિનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે.
લોહેશ્વર મહાદેવ ધામ સાથે પાંડવોના વનવાસ અને અજ્ઞાતવાસ દરમિયાનના રોકાણની પૌરાણિક ગાથા જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. Patan પાંડવો ભારતના વિવિધ તીર્થસ્થળોની યાત્રા કરતા હતા ત્યારે તેઓ આ વિસ્તારમાં આવ્યા હતા અને અહીં રોકાયા હોવાની લોકમાન્યતા છે. પૌરાણિક પરંપરા અનુસાર તે સમય દરમિયાન આ વિસ્તાર ‘ધર્મારણ્ય ક્ષેત્ર’ તરીકે ઓળખાતો હતો. ગીચ જંગલ, બાવળિયાની અડાબીડ ઝાડીઓ અને કુદરતી વાતાવરણથી ઘેરાયેલો આ વિસ્તાર સંતો, સાધુઓ અને મુનિઓની તપશ્ચર્યા માટે પણ જાણીતો હોવાનું કહેવાય છે.
-> માર્કંડેય ઋષિના આશ્રમ સાથે પણ જોડાયેલી માન્યતા :- લોહેશ્વર ધામની પૌરાણિક ગાથામાં માર્કંડેય ઋષિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. પ્રચલિત માન્યતા મુજબ આ વિસ્તારમાં માર્કંડેય ઋષિનો આશ્રમ હતો અને તેઓ અહીં તપશ્ચર્યા તથા પ્રભુ સ્મરણ કરતા હતા. પાંડવો અહીં આવ્યા ત્યારે આ ધાર્મિક વાતાવરણથી પ્રભાવિત થઈ તેઓએ પણ આ સ્થળે રોકાણ કર્યું હોવાની માન્યતા છે.

પાંડવોના જીવન સાથે જોડાયેલી સૌથી મહત્વપૂર્ણ કથા ભગવાન શિવની ભક્તિ સાથે સંકળાયેલી છે. કહેવાય છે કે ધર્મરાજ યુધિષ્ઠિરનો નિત્ય નિયમ હતો કે ભગવાન શિવજીની પૂજા કર્યા વગર તેઓ ભોજન ગ્રહણ કરતા નહોતા. Patan એક વખત પાંડવો જંગલ વિસ્તારમાં રોકાયા ત્યારે આસપાસ કોઈ શિવલિંગ ઉપલબ્ધ ન હોવાથી શિવપૂજા કેવી રીતે કરવી તે પ્રશ્ન ઊભો થયો હતો. તે દરમિયાન ભીમસેનને ભારે ભૂખ લાગી હતી. પ્રચલિત કથા મુજબ, ભીમે જંગલમાં એક વૃક્ષ નીચે માટીની લોટી ઊંધી વાળીને શિવલિંગની સ્થાપના કરી હતી. ત્યારબાદ ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભગવાન શિવની પૂજા કરી હતી અને ત્યાર પછી જ ભોજન લીધું હતું. સાચી શ્રદ્ધાથી કરવામાં આવેલી પૂજાને ભગવાન શિવે સ્વીકારી હોવાની માન્યતા સાથે આ સ્થળ લોહેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયું હોવાનું સ્થાનિક લોકો માને છે.
-> પાંડવકુંડ અને પાંડવોના પગલાં આસ્થાનું કેન્દ્ર :- લોહેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પાંડવો સાથે જોડાયેલા અનેક સ્થળો આજે પણ જોવા મળે છે. અહીં આવેલા પાંચ પવિત્ર કુંડને ‘પાંડવકુંડ’ તરીકે ઓળખવામાં આવે છે. Patan આ ઉપરાંત પાંડવોના પગલાં સાથે જોડાયેલું સ્થાન અને પાંડવોના સમયનું પ્રાચીન વરખડીનું વૃક્ષ પણ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. પાંડવકુંડ અંગે પણ સ્થાનિક સ્તરે અનેક લોકમાન્યતાઓ પ્રચલિત છે. કુંડની સફાઈ દરમિયાન પાણી અને કાંપ બહાર કાઢવામાં આવે ત્યારે તેમાંથી શિવલિંગ તેમજ દૂધ જેવા અને નીલરંગના પાણીના ઝરણાં ફૂટી નીકળે છે અને થોડા સમય બાદ કુંડ ફરીથી પાણીથી ભરાઈ જાય છે એવી માન્યતા છે. આ ઘટનાને ભક્તો પૌરાણિક ચમત્કાર સાથે જોડે છે અને તેના કારણે પાંડવકુંડ પ્રત્યેની શ્રદ્ધા વધુ ગાઢ બને છે.
-> માતૃશ્રાદ્ધ અને પિતૃશ્રાદ્ધ માટે પણ મહત્વપૂર્ણ ધામ :- લોહેશ્વર મહાદેવનું મહત્વ માત્ર ભગવાન શિવના દર્શન અને પૂજા સુધી સીમિત નથી. અહીં માતૃશ્રાદ્ધ અને પિતૃશ્રાદ્ધ બંને કરી શકાય છે એવી પ્રચલિત ધાર્મિક માન્યતા છે. સામાન્ય રીતે ગયાજી પિતૃશ્રાદ્ધ અને સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે વિશેષ મહત્વ ધરાવે છે, જ્યારે લોહેશ્વર તીર્થમાં બંને પ્રકારના શ્રાદ્ધની પરંપરા હોવાનું સ્થાનિક સ્તરે માનવામાં આવે છે. પવિત્ર કુંડમાં સ્નાન કરી પિંડદાન અને પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી શ્રદ્ધા સાથે અનેક લોકો અહીં ધાર્મિક વિધિઓ માટે આવે છે. ખાસ કરીને પિતૃકાર્ય માટે આવતા શ્રદ્ધાળુઓના કારણે ધામનું ધાર્મિક મહત્વ વધુ વધે છે.
-> રૂ. 2 કરોડના ખર્ચે ‘મિની સોમનાથ’ જેવું ભવ્ય મંદિર :- સમયની સાથે લોહેશ્વર મહાદેવ ધામને નવું અને ભવ્ય સ્વરૂપ પણ મળ્યું છે. અંદાજે રૂ. 2 કરોડના ખર્ચે બંસીપહાડપુરના લાલ પથ્થરોમાંથી કલાત્મક કોતરણી સાથે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરની સ્થાપત્ય શૈલી સોમનાથ મંદિરથી પ્રેરિત હોવાનું જણાવાય છે, જેના કારણે તેને સ્થાનિક સ્તરે ‘મિની સોમનાથ’ જેવી પ્રતિકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. Patan લાલ પથ્થરો પરની કલાત્મક કોતરણી, ભવ્ય બાંધકામ અને મંદિરની સ્થાપત્ય શૈલીના કારણે સમગ્ર ધામની સુંદરતામાં વધારો થયો છે. પૌરાણિક આસ્થા સાથે આધુનિક રીતે વિકસાવવામાં આવેલું મંદિર યાત્રિકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

-> યાત્રિકો માટે ધર્મશાળાની સુવિધા :- મંદિર પરિસરમાં બહારગામથી આવતા શ્રદ્ધાળુઓ માટે ધર્મશાળાની સુવિધા પણ ઉપલબ્ધ છે. ધર્મશાળાના ઓરડાઓને 12 જ્યોતિર્લિંગોના નામ સાથે જોડવામાં આવ્યા છે. જેના કારણે અન્ય શહેરો અને ગામડાંમાંથી આવતા યાત્રિકોને રોકાણ માટે સુવિધા મળી રહે છે. આ ઉપરાંત પ.પૂ. મહંત લાલગીરીજી બાપુની જીવંત સમાધિ પણ મંદિર પરિસરમાં આવેલી છે. સંવત 1600 સાથે જોડાયેલી આ સમાધિ અંગે પણ સ્થાનિક ધાર્મિક પરંપરામાં વિશેષ માન્યતા છે. Patan શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે.
-> શ્રાવણ માસમાં શિવમય બને છે વાતાવરણ :- લોહેશ્વર મહાદેવ ધામમાં શ્રાવણ માસનું વિશેષ ધાર્મિક મહત્વ છે. શ્રાવણ દરમિયાન અહીં વિશેષ પૂજા-અર્ચના, આરતી અને શિવધૂનના કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. દૂરદૂરથી શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથના દર્શન કરવા પહોંચે છે. દર મહિનાની અમાસના દિવસે પણ અહીં મોટી સંખ્યામાં ભક્તો પહોંચતા હોવાનું જણાવાય છે. જ્યારે દર વર્ષે ફાગણી વદ અગિયારસથી ફાગણી અમાસ સુધી ભવ્ય પરંપરાગત મેળો યોજાય છે. Patan આ મેળામાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા સાથે પિતૃ તર્પણ માટે પણ પહોંચે છે.
-> પૌરાણિક વારસાની જીવંત ધરોહર :- પાંડવો સાથે જોડાયેલી ગાથા, ભીમસેન દ્વારા શિવલિંગ સ્થાપનાની લોકમાન્યતા, પાંડવકુંડ, પાંડવોના પગલાં, પ્રાચીન વરખડીનું વૃક્ષ, પિતૃ તર્પણની પરંપરા અને સોમનાથથી પ્રેરિત ભવ્ય મંદિર—આ તમામ વિશેષતાઓ લોહેશ્વર મહાદેવ ધામને અનોખી ઓળખ આપે છે. લોહેશ્વર મહાદેવ માત્ર એક મંદિર નથી, પરંતુ આસ્થા, પૌરાણિક પરંપરા અને ધાર્મિક સંસ્મરણોની જીવંત ધરોહર તરીકે ભક્તોના હૃદયમાં સ્થાન ધરાવે છે. અહીંની વિવિધ માન્યતાઓ નવી પેઢીને પણ પૌરાણિક કથાઓ અને સ્થાનિક ધાર્મિક વારસા સાથે જોડે છે. ભક્તિ અને પરંપરાથી સમૃદ્ધ આ ધામ ઉત્તર ગુજરાતના ધાર્મિક પ્રવાસનના નકશામાં પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે.
- us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAFollow GRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276







Comments are closed.