કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરી, ઈથેનોલ પ્રોજેક્ટ અને ટોયોટા કંપનીને લઈને સોશિયલ મીડિયા પર કથિત ભ્રામક માહિતી પ્રસારિત કરવાના આરોપસર નાગપુર સાયબર પોલીસે ચાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સામે FIR નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે કેસ દાખલ કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
કોના સામે નોંધાઈ FIR?
નાગપુર ભાજપ સોશિયલ મીડિયા સેલના પ્રમુખ શિશિર ત્રિપાઠીની ફરિયાદના આધારે નોંધાયેલી FIRમાં યુટ્યુબર મનીષ કશ્યપ તેમજ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ‘દેશી બોયઝ’, હર્ષિત રાઠી અને અંકલેશ ઈનવાતેના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શું છે આરોપ?
ફરિયાદ મુજબ, આરોપી ઈન્ફ્લુએન્સર્સે પોતાના યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ઈથેનોલ પ્રોજેક્ટ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લગતી એવી પોસ્ટ અને વીડિયો શેર કર્યા હતા, જેમાં તથ્ય વગરના અથવા ભ્રામક દાવા કરવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે. ફરિયાદમાં એવો પણ આરોપ છે કે આ સામગ્રીના કારણે લોકોમાં ગેરસમજ ફેલાઈ શકે છે અને સરકારની છબીને નુકસાન પહોંચાડી શકે છે.
પુરાવા વિના દાવા કરવાનો આરોપ
ફરિયાદકર્તાના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર શેર કરાયેલી સામગ્રીમાં ઈથેનોલ પ્રોજેક્ટ અને તેની સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે મોટા દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ તે માટે કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. ફરિયાદ સાથે સંબંધિત વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટની લિંક્સ પણ પોલીસને સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે.
પોલીસે તપાસ શરૂ કરી
નાગપુર સાયબર પોલીસે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન સોશિયલ મીડિયા પર શેર કરાયેલી સામગ્રી, તેના તથ્યો અને તેની સંભવિત અસરની ચકાસણી કરવામાં આવશે. હાલ સુધી આરોપીઓ તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






