કતારના રાસ લફાન LNG પ્લાન્ટમાં બ્લાસ્ટ: 13નાં મોત, અનેક ભારતીયો અસરગ્રસ્ત

કતરના સૌથી મોટા LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ઉત્પાદન કેન્દ્રોમાંથી એક એવા રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં થયેલા ભીષણ વિસ્ફોટે ભારે જાનહાનિ સર્જી છે. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં ભારતીય નાગરિકો સહિત 13 લોકોના મોત થયા છે, જ્યારે 66 લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે ભારતીય દૂતાવાસે પણ ચિંતા વ્યક્ત કરી છે.

બર્ઝાન ગેસ સપ્લાય ફેસિલિટીમાં થયો અકસ્માત
કતરના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાસ લફાન એલએનજી કોમ્પ્લેક્સ હેઠળ આવેલી બર્ઝાન લોકલ ગેસ સપ્લાય ફેસિલિટીમાં ટેકનિકલ ખામીના કારણે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કતારના ઉર્જા મંત્રાલયે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને અનેક લોકો સારવાર હેઠળ છે.

ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
દોહા સ્થિત ભારતીય દૂતાવાસે દુર્ઘટનાને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. દૂતાવાસના જણાવ્યા અનુસાર ઘણા લોકો ઘાયલ થયા છે અને કેટલાક લોકો ગુમ હોવાની માહિતી પણ મળી રહી છે. ઘાયલ ભારતીય નાગરિકોને જરૂરી સહાય પૂરી પાડવા માટે દૂતાવાસ સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્કમાં છે.

ઉત્પાદન ફરી શરૂ કરવાની પ્રક્રિયા દરમિયાન ઘટના
અહેવાલો મુજબ ઈરાની મિસાઈલ હુમલાના પ્રભાવ બાદ અસરગ્રસ્ત ગેસ ફેસિલિટીમાં કામગીરી ફરી શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન કામકાજ દરમિયાન અચાનક વિસ્ફોટ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

વૈશ્વિક ઉર્જા બજાર પર પડી શકે અસર
ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ મજબૂત બન્યા બાદ કતારે ગેસ ઉત્પાદન અને નિકાસમાં ઘટાડો કર્યો હતો, જેના કારણે વૈશ્વિક ઉર્જા બજાર પર અસર જોવા મળી હતી. ત્યારબાદ સ્થિતિ સામાન્ય બનતા એલએનજી નિકાસ ફરી શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

વિશ્વના સૌથી મોટા ગેસ ઉત્પાદકોમાં કતાર
સરકારી માલિકીની QatarEnergyના જણાવ્યા અનુસાર રવિવારે રાત્રે બર્ઝાન ગેસ સપ્લાય ફેસિલિટીમાં કામ દરમિયાન વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ લાગી હતી. કતાર વિશ્વના સૌથી મોટા કુદરતી ગેસ ઉત્પાદકોમાંનો એક દેશ છે અને રાસ લફાન વિશ્વના મહત્વપૂર્ણ એલએનજી હબ પૈકીનું એક ગણાય છે.

 

 

 

  • Related Posts

    લખનઉ અગ્નિકાંડ: SIT તપાસ શરૂ, 7 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ

    લખનઉમાં તાજેતરમાં બનેલી ભીષણ અગ્નિકાંડની ઘટનાને લઈને ઉત્તર પ્રદેશ સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે. SIT…

    લખનઉમાં કોચિંગ સેન્ટર-ગેમિંગ ઝોનમાં આગ લાગતાં 15 યુવાનોના મોત, દેશમાં શોક

    ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં પુરનિયા ચોરાહા પાસે આવેલી એક ઈમારતમાં સોમવારે ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે, જેમાં…