NEET 2026 ઉમેદવારો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દોડાવશે 6 સ્પેશિયલ ટ્રેનો, જાણો વિગત

NEET-UG 2026 પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 21 જૂનના રોજ યોજાનારી NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને ઉમેદવારો અને તેમના પરિવારજનોને મુસાફરીમાં સરળતા રહે તે માટે પશ્ચિમ રેલવે ત્રણ જોડી એટલે કે કુલ 6 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે.

રેલવેના જણાવ્યા અનુસાર, વધતી મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને અમદાવાદ-મુંબઈ, ઓખા-ગાંધીનગર અને ભાવનગર-ગાંધીગ્રામ રૂટ પર આ ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે. આ ટ્રેનો 20 અને 21 જૂન દરમિયાન ખાસ ભાડા સાથે ઉપલબ્ધ રહેશે.

1. મણિનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ (09472/09471)
– મણિનગરથી આ સ્પેશિયલ ટ્રેન 20 જૂનના રોજ સવારે 8:30 વાગ્યે રવાના થશે અને સાંજે 6:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
– પરત ફરતી ટ્રેન 20 જૂને રાત્રે 9:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને 21 જૂને સવારે 6 વાગ્યે મણિનગર પહોંચશે.
– આ ટ્રેન આણંદ, વડોદરા, ભરુચ, સુરત, વલસાડ અને વાપી સહિતના મહત્વના સ્ટેશનો પર રોકાશે.

2. ઓખા-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ (09554/09553)
– ઓખાથી આ ટ્રેન 20 જૂને સવારે 5 વાગ્યે રવાના થઈ બપોરે 3 વાગ્યે ગાંધીનગર કેપિટલ પહોંચશે.
– વાપસીમાં 21 જૂને રાત્રે 8:55 વાગ્યે ગાંધીનગરથી ઉપડી 22 જૂને સવારે ઓખા પહોંચશે.
– માર્ગમાં ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર અને વિરમગામ સહિતના સ્ટેશનો પર રોકાશે.

3. ભાવનગર ટર્મિનસ-ગાંધીગ્રામ સ્પેશિયલ (09254/09253)
– ભાવનગર ટર્મિનસથી આ ટ્રેન 20 જૂને સવારે 11:40 વાગ્યે રવાના થઈ બપોરે 4:10 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.
– પરત ફરતી ટ્રેન 21 જૂને રાત્રે 8 વાગ્યે ગાંધીગ્રામથી ઉપડશે અને 22 જૂને વહેલી સવારે ભાવનગર પહોંચશે.
– આ ટ્રેન બોટાદ, ધંધુકા, ધોલકા સહિતના મુખ્ય સ્ટેશનો પર રોકાશે.

ટિકિટ બુકિંગ ક્યારે શરૂ થશે?
પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, તમામ સ્પેશિયલ ટ્રેનોમાં સ્લીપર અને જનરલ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. મુસાફરો 19 જૂન 2026થી PRS કાઉન્ટર અને IRCTC મારફતે ટિકિટ બુક કરાવી શકશે.

NEET ઉમેદવારોને મળશે મોટી રાહત
દર વર્ષે NEET પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે હજારો વિદ્યાર્થીઓને લાંબી મુસાફરી કરવી પડે છે. પશ્ચિમ રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી આ વિશેષ ટ્રેન સેવા વિદ્યાર્થીઓને સમયસર અને સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદરૂપ બનશે.

 

 

 

  • Related Posts

    અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

    રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…

    અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં મોટો ફેરબદલ: એસપી દ્વારા 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી

    અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિભાગમાં વહીવટી સ્તરે મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) ઓમ પ્રકાશ જાટે એકસાથે 162 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશો જારી કર્યા છે. આ નિર્ણયને…