RTIની અવગણના ભારે પડી: PI અને મામલતદારને રાજ્ય માહિતી આયોગનો 10-10 હજારનો દંડ

– રાજ્ય માહિતી આયોગની લાલ આંખ: નિયત સમયમાં દંડ નહીં ભરે તો પગારમાંથી રકમ વસૂલવાનો કડક આદેશ; વહીવટીતંત્રના લાપરવાહ અધિકારીઓ સામે દાખલો બેસાડતી કાર્યવાહી

પંકજ મકવાણા – વડોદરા/સાવલી: માહિતીનો અધિકાર (RTI) કાયદા હેઠળ માંગવામાં આવેલી વિગતો સમયસર અને યોગ્ય રીતે ન આપનારા બે સરકારી અધિકારીઓ સામે ગુજરાત રાજ્ય માહિતી આયોગે કડક વલણ અપનાવ્યું છે. સાવલી તાલુકા સાથે સંકળાયેલા બે અલગ-અલગ કેસોમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને તત્કાલીન મામલતદારને રૂ.10,000-10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે દંડની રકમ નિયત સમયમર્યાદામાં નહીં ભરાય તો તે સંબંધિત અધિકારીઓના પગારમાંથી વસૂલ કરવામાં આવશે.

PIએ બહાના બતાવ્યા, આયોગે ગુનાહિત બેદરકારી ગણાવી:
પ્રથમ કેસ ભાદરવા પોલીસ મથકનો છે, જેમાં RTI અરજદાર દ્વારા તત્કાલીન PI એ.ઓ. ભરવાડની ચેમ્બરના CCTV ફૂટેજની માહિતી માંગવામાં આવી હતી. માહિતી આપવાને બદલે ગુપ્તતાનો મુદ્દો અને બાદમાં CCTVમાં ટેકનિકલ ખામી હોવાના કારણો રજૂ કરાયા હતા. રાજ્ય માહિતી આયોગે આ દલીલોને અસ્વીકાર કરીને જાહેર માહિતી અધિકારી તરીકેની ફરજમાં ગંભીર બેદરકારી ગણાવી હતી. હાલ વેજલપુર પોલીસ મથકે ફરજ બજાવતા એ.ઓ. ભરવાડને આ મામલે રૂ.10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

મામલતદારે ગેસ એજન્સીની વિગતો ન આપી:
બીજો કેસ સાવલીના તત્કાલીન મામલતદાર જીગ્નેશ પટેલ સાથે જોડાયેલો છે. એક નાગરિકે HP ગેસ એજન્સી સંબંધિત ગ્રાહક વિગતો અંગે માહિતી માગી હતી. પ્રથમ અપીલ બાદ પણ સંતોષકારક જવાબ ન મળતાં મામલો રાજ્ય માહિતી આયોગ સુધી પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન આયોગે નોંધ્યું કે RTI કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. પરિણામે મામલતદાર જીગ્નેશ પટેલને પણ રૂ.10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજ્ય માહિતી આયોગના આ નિર્ણયને પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સાથે જ RTI અરજીઓ પ્રત્યે બેદરકારી દાખવનારા અધિકારીઓ માટે આ ચુકાદો ચેતવણીરૂપ અને દાખલારૂપ બની શકે છે.

 

 

 

  • Related Posts

    2027 : વસ્તી ગણતરી: પહાડી વિસ્તારોમાં ૧ સપ્ટેમ્બરથી ડિજિટલ જનગણના શરૂ Grand Launch

    2027 વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર: પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે ડિજિટલ જનગણના  કેન્દ્ર સરકારે 2027ની વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી ડિજિટલ માધ્યમથી જનગણનાની કામગીરી શરૂ થશે. જાણો સંપૂર્ણ માહિતી. કેન્દ્ર સરકારે દેશભરમાં યોજાનારી 2027ની વસ્તી ગણતરી (Census 2027) માટેનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે વસ્તી ગણતરીને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે ડિજિટલ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સરકારના આયોજન મુજબ 1 સપ્ટેમ્બરથી પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ થશે, જ્યારે ત્યારબાદ દેશના અન્ય રાજ્યો અને શહેરોમાં પણ તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દેશના વિકાસ, નીતિ નિર્માણ અને સરકારી યોજનાઓના અમલીકરણ માટે વસ્તી ગણતરી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ વખતે ડિજિટલ માધ્યમથી…

    કાવડ યાત્રા 2026 : Royal Welcome for Shiva Devotees: યોગી સરકારનું મોટું આયોજન: શ્રાવણ માસમાં કાવડિયાઓ પર હેલિકોપ્ટરથી થશે ફૂલોની વર્ષા!

    ઉત્તર પ્રદેશ સરકારે શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાને લઈને વિશેષ આયોજન કર્યું છે. કાવડિયાઓ પર હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા, કડક સુરક્ષા, આરોગ્ય સેવાઓ અને વિવિધ સુવિધાઓની સંપૂર્ણ માહિતી વાંચો. શ્રાવણ માસમાં કાવડ યાત્રા માટે ઉત્તર પ્રદેશ સરકારનું ભવ્ય આયોજન શ્રાવણ માસ હિંદુ ધર્મમાં ભગવાન શિવની આરાધના માટે સૌથી પવિત્ર સમયગાળામાંનો એક માનવામાં આવે છે. આ મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાંથી ગંગાજળ ભરી કાવડ યાત્રા કરીને પોતાના નજીકના શિવ મંદિરોમાં જળાભિષેક કરે છે. આ યાત્રા માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ શ્રદ્ધા, સમર્પણ અને આધ્યાત્મિક ભાવનાનું પ્રતિક પણ છે. આ વર્ષે ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાને વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. તેમાં સૌથી વિશેષ આયોજન તરીકે પસંદ કરાયેલા માર્ગો પર હેલિકોપ્ટર દ્વારા…